SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ નહિ? એક ને એક બે જેવો સરળ મેળ છે ! તમને લાગે છે ખરું કે આ લડાઇઓ, આ કાવાદાવા અને આ ખટપટમાં રચ્યાપચ્યા રહેતા તમે આબુના તીર્થોદ્ધારની રૂપરેખા પણ તૈયાર કરી-કરાવી શકો? - વીરમતિનો આ પ્રશ્ન વેધક હતો. માતાના હૃદયને પામી જતાં વિમલે કહ્યું કે, એટલે આપ એમ કહેવા માગો છો કે, આવા કોઈ બહાને પાટણ છૂટશે, તો જ અમે અમારી સમગ્રતાને આબુના ઉદ્ધાર પાછળ કેન્દ્રિત કરી શકીશું? આપની આ વાત સાચી જ નહિ , સાવ સાચી છે. માતાજી ! રાજસેવા સ્વીકારી, એટલે સંગ્રામોમાં જોડાવું જ પડે. એમાં એક વિજય મેળવીએ, એટલે નવી વિજિગીષા જાગે, પાછું એ વિજય-યાત્રામાં આગેવાન બનવું પડે. વિજય અને વિજિગીષાનું વિષચક્ર આમ ચાલુ જ રહે ! જુઓ ને, સિંધ અને ચેદિ તરફ વિજય મેળવ્યો, હવે ભીમદેવ માલવા સામે લડાઈ લઈ જવાની તૈયારીઓ છૂપી રીતે કરી રહ્યા છે. આબુના ઉદ્ધારનું સ્વપ્ન જોયાને આજે વર્ષો વિતવા આવ્યાં, પણ આ બધામાંથી નવરા પડીએ, તો એ સ્વપ્ન સાકાર થાય ને ? મધ્યાહ્નનો સમય થવા આવ્યો હતો, દેવપૂજાનું કર્તવ્ય અદા કરવા નેઢ અને વિમલ ઊભા થયા. પાટણના પરિત્યાગની સંભાવનાનું સ્વપ્ન બંનેના દિલને જરાક બેચેન બનાવી ગયું હતું. પણ માતા વિરમતિએ જે પ્રેરક દૃષ્ટિકોણ આપ્યો હતો, એથી તો એમનાં દિલ સાવ નિજ બની ગયાં હતાં, અને કદાચ આજે ને આજે પાટણનો ત્યાગ કરવાની ઘડી ઉપસ્થિત થાય, તો પણ મોજથી એને વધાવી લેવાનું મનોબળ બંનેમાં ઊભરાઈ ઊડ્યું હતું, એટલું જ નહિ, દંડનાયક વિમલ તો મનોમન એવી પરિસ્થિતિનું ઝડપી નિર્માણ ઈચ્છી રહ્યા છે, જેથી પાટણનો ત્યાગ અનિવાર્ય બને, અને આના પ્રભાવે પોતે આબુના ઉદ્ધારનું કાર્ય ઝડપથી આરંભી શકે ! દંડનાયક વિમલ તો મનના માંડવે આવી મનોરથમાળા સેવી રહ્યા, પણ ભાવિની ભીતરમાં શું છુપાયું હતું અને આ મનોરથ સફળ ૧૭૮ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy