________________
સમૃદ્ધિના પાટણમાં ચાર મોઢે થતાં વખાણ મહેતાના મનની એ આગમાં ઘી હોમવાનું કામ કરતાં હતાં.
બંને બંધુઓએ ભાવિના વળાંક વિગતે વિચારી લીધા અને અંતે માતા વીરગતિ પાસે આવીને એમણે કહ્યું : માતાજી ! જીવનની ખરી સાર્થકતા આપ માણી રહ્યાં છો ! રાજકારણમાં ગૂંચવાયેલા અમે એની તો ગંધ પણ ક્યાંથી પામી શકીએ? દેવ-ગુરુ અને અંબિકાદેવી આદિની કૃપાના બળે ગુજરાતને ભવ્ય વિજય અપાવવામાં અમે નિમિત્તમાત્ર પણ સારી માત્રામાં બન્યા ! પણ એમ લાગે છે, આ વિજય અમારા માટે પરાજયની કોઈ અદષ્ટ ભૂમિકા સરજી જાય, તો નવાઈ નહિ !
એટલે ?” માતા વીરગતિ તો આત્મસાધનામાં મસ્ત રહેતા હતાં. એથી પાટણની રાજ-ચોપાટ પર ખેલાઈ રહેલી કોઈ અવનવી બાજીઓથી એ ક્યાંથી પરિચિત હોય ? એથી એમના દ્વારા સાશ્ચર્ય પૂછાયેલા આ પ્રશ્નના જવાબમાં દંડનાયક વિમલે બધી જ વાતો વિગતવાર જણાવીને કહ્યું કે, માતાજી ! એ ભાવી હજી ઘણું દૂર દૂર જણાય છે, પણ ક્યારેક આપણને આ પાટણ છોડવાનો વખત આવે, તો એ સાવ અઘટ ઘટના ન ગણાય ! કારણ કે વરસતી બાણની ઝડીઓ વચ્ચે રહીને જીવનને રક્ષવું, એ હજી સહેલું છે. પણ ઈર્ષાઅસૂયાના આવા તણખા વચ્ચે સાવધાનીથી વસવા છતાં આબરૂને અણદાગ રાખવી, એ જરાય સહેલું નથી ! કારણ કે એ તણખા મૂકી જનારા માણસો મૈત્રીનું મહોરું ચડાવીને આવતા રહે છે !
વિમલની આ વાત સાંભળીને જરાય ગંભીર બન્યા વિના વીરમતિએ કહ્યું : આ પાટણ છોડવું પડે તોય શું વાંધો છે? હંસો જ્યાં જતા હોય છે, ત્યાં એમના અવતરણને આરે સરોવર રચાઈ જતું હોય છે ! મને લાગે છે કે, આબુનો ઉદ્ધાર-કાળ નજીક આવી રહ્યો હશે !
બંને ભાઈઓ પૂછી બેઠા : માતાજી ! આબુના ઉદ્ધાર અને પાટણના ત્યાગ વચ્ચે વળી આપ કયો સંબંધ નિહાળી રહ્યાં છો? આ બે વાત વચ્ચે કોઈ મેળ ખરો?
મંત્રીશ્વર વિમલ
છે ૧૭૭