________________
ગુજરાતની ગૌરવ રક્ષા
૧૯
એકાંતના ઓવારે મહિનાઓ પછી મળેલા મહામંત્રી અને દંડનાયક વચ્ચે ઘણી ઘણી વાતોવિચારણાઓ થઈ. વાતનો મુખ્ય વિષય, દામોદર મહેતા જેવી વ્યક્તિ-શક્તિઓની આંખમાં કણાની જેમ ખૂંચતી પોતાની પુણ્યાઈ હતી. સિંધ અને ચેદિના વિજય પછી તો દામોદર મહેતાના અંતરમાં જલતી રહેતી ઈર્ષાની એ આગ ખૂબ વધુ ભભૂકી ઊઠી અને કાંકરી પણ ઘડો ફોડવા સમર્થ હોય છે, આ વાતને એ બાંધવ-બેલડી સારી રીતે સમજતી હતી. એમાં વળી પોતાનો મહેલ તૈયાર થવા આવ્યો હતો, એની ઋદ્ધિ