________________
જોડાઈને સાંકળ બની જાય અને પગમાં આવી પડે, એ પૂર્વે જ સ્વ-રક્ષા અંગેનો કોઈ વ્યૂહ વિચારી લેવો આવશ્યક હતો, જેથી આગ ભભૂકી ઊઠે, એ વખતે કૂવો ખોદવા જવું ન પડે. એ ગંભી૨ મંત્રણાનો વિષય શો હશે ? આમ જો જોવા જઈએ, તો આ બાંધવ-બેલડીની કીર્તિગાથા ગાતાં ગાતાં છેલ્લા ઘણા દિવસોથી પાટણની પ્રજા જરા પણ થાક અનુભવતી ન હતી, ત્યારે આ ગંભીર વિચારણાનું પ્રેરક બળ કયું હશે ?
મંત્રીશ્વર વિમલ
૧૭૫