SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી નેઢના જવાબની સૌ પ્રતીક્ષા કરી રહ્યા. મંત્રી નેઢે એ જ સ્વસ્થતા સાથે કહ્યું : મહારાજ ! આપ એક વાર આ જયપત્રને બરાબર વાંચી જાવ અને પછી મને કહો કે, મેં પાટણની પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું છે કે કર્તવ્ય-ધર્મનું બરાબર પાલન કર્યું છે? મહારાજા ભીમદેવે એ જયપત્રનો અક્ષરેઅક્ષર ધારી-ધારીને જોયો અને પછી એમણે સહર્ષ-સગર્વ કહ્યું કે, ગુજરાતને રોવું પડે અને માળવા જેથી હસી શકે, એવો એક અક્ષર પણ આમાં ક્યાં છે આપણી જ્વલંત વિજયયાત્રાનો આડકતરો ખ્યાલ ભોજરાજાને આપતો આ જયપત્ર એમ સ્પષ્ટ કહી રહ્યો છે કે, પાટણની શક્તિઓ વિજયયાત્રાએ સંચરી ન હોત, તો એ માળવાના દાંત ખાટા કરી નાખત ! દંડનાયક વિમલે મૌન તોડતાં કહ્યું કે, આનો અર્થ એમ પણ નીકળે કે, માળવા જેવું બીકણ કોણ ? સામાના હાથમાં હથિયાર ન હોય, ત્યારે હથિયાર ઉગામનારને હિંમતવાન કોણ કહે? સામે કોઈ લડનાર ન હોય, ત્યાં સસલું પોતાને સિંહ માને, તો કોણ એને રોકે ? જો ભીમદેવ હાજર હોત, તો માળવાની શી ગુંજાશ હતી કે, એ ગુજરાત સામે નજર પણ કરી શકે? આમ, દેખીતી રીતે માળવાની મહાનતા પર મg મારતો જણાતો આ જયપત્ર, માળવાની માયકાંગલી મનોવૃત્તિ પર જ મનુ મારે છે. મંત્રીશ્વર નેઢની ઠરેલ અને છતાં અવસરે માર્મિક ઘા કરવામાં કાબેલ વૃત્તિનો આજે જ સૌને પહેલવહેલો પરિચય થયો. અને સૌ રાજીરાજી થઈ ગયા. છતાં આ રીતે પણ પાટણનું અપમાન કરી જનારા માળવા પાસે જવાબ માંગવાની વાત પણ એ મંત્રણામાં ઠીક ઠીક ચર્ચાઈ. પણ એ લાંબાગાળે અમલમાં મૂકવાનો બૃહ હતો. મંત્રીશ્વર નેઢ ને દંડનાયક વિમલ એક દહાડો એકાંત મેળવીને કોઈ ગંભીર વિચારણા કરવા એકઠા મળ્યા. કારણ કે એવાં એવાં અનેક કારણોની શૃંખલાઓ નજરે ચઢતી હતી, જે એકબીજામાં ૧૭૪ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy