________________
ધારણા બાંધવી, એ ખૂબ વહેલું ગણાશે ! મહામંત્રી નેઢના બુદ્ધિબળ પર વિશ્વાસ ન હોત, તો એમના હાથમાં પાટણના સુકાનને સોંપવાની વાતને વિમલે વધાવી લીધી હોત ખરી? માટે ગુજરાત ખોવાની વાત કરવી રહેવા દો. પણ આજે આપણે હવેલી હાંસલ કરી શક્યા છીએ, એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે અને એમાં દંડનાયક વિમલ તેમજ સેનાપતિ સંગ્રામસિંહનો જે અજોડ-વિશાળ ફાળો છે, એ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણના અક્ષરે લખાઈ જાય એવો છે.
મહેતાના બધા મનસૂબા પર ભીમદેવની આ એક જ વાત વેગીલા વાવાઝોડા રૂપે ત્રાટકી અને મહેતાના મનના મિનારા માટીમાં મળી ગયા. પણ આશાના અમૃત ઘૂંટ પી-પીને ઊછરેલા મહેતા ગમે તેવી પરિસ્થિતિમાં પણ નિરાશ થવાનું સમજ્યા જ નહોતા, એમણે મનને મનાવ્યું કે મામાનું ઘર કેટલે ! દીવો બળે એટલે ! પાટણ હવે ક્યાં દૂર છે? નેઢને પ્રશ્નોની એવી ગૂંચમાં મૂંઝવી મારીશ કે, બિચારો ઊભો જ થઈ ન શકે. જયપત્ર પર મg મારીને તો એણે એવી ભૂલ કરી નાંખી છે કે, જેનો વિપાક વેઠવા કદાચ આ મંત્રી મુદ્રા ય એને છોડવી પડે ! આ રીતે શત્રુને કદી કાંડાં કાપી અપાતાં હશે ખરાં? ભલે ને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પણ લખાણમાં તો લઘુતા લવાય જ કેમ ? લખેલું તો લાંબા કાળે ય વંચાય !
ભીમરાજના મક્કમ જવાબથી પછડાટની પીડા અનુભવનાર મહેતાના મનોરથ આ રીતના કલ્પનાઓના અશ્વોનો સહારો પામીને ફરી દોડાદોડ કરવા મંડી પડ્યા. એથી પાટણનું પાદર ક્યારે આવી લાગ્યું, એનો એમને ખ્યાલ પણ ન રહ્યો. એ તો આશાની તંદ્રામાં જ મોજ માણતા હતા, પણ જ્યાં રાજા ભીમદેવ અને દંડનાયક વિમલના જયજયકારના ગગનને ગજવતા ધ્વનિ સંભળાયા, ત્યાં એઓ સફાળા જાગી ગયા અને મહારાજની સાથે વિમલનેય જે કીર્તિ મળી રહી હતી, એ જોઈને એઓ અંતરમાં પુનઃ બળવા માંડ્યા.
૧૭૨
આબુ તીર્થોદ્ધારક