________________
કુલચંદ્રને ચડેલો વિજયનો નશો ઊતરી જતાં હવે એને સમજાતું હતું કે, પોતે કેવો ભોટ અને ભોળો સાબિત થયો હતો અને ગાંડો ગણાતો ગુજરાતી કેવો ડાહ્યો પુરવાર થયો હતો !
– ૦ – સિંધુ નદીની પેલે પાર વસેલા ચેદિ દેશ પર વિજયનો વાવટો ફરકાવવામાં ઝાઝી જવાંમર્દી બતાવવાની જરૂર જ ન પડી ! એક તો સિંધરાજ પર મેળવાયેલા વિજયની રોમાંચક વાતો ત્યાં પહોંચી ગઈ હતી, આથી ચેદિરાજ કર્ણને પોતે ભીમદેવ સામે ટકી શકે, એવી આશા નહોતી, એમાં વળી યુદ્ધના પ્રથમ ખેલમાં જ ભીમદેવનું બળ અને દંડનાયક શ્રી વિમલની કળ આ બે જોઈને ચેદિરાજે શરણાગતિ સ્વીકારી લેવાનું આત્મ-સંરક્ષક પગલું લઈ લીધું અને એક મોટા માનવસંહારની બિભિષિકામાંથી ચેદિ દેશ આબાદ ઊગરી ગયો !
ચેદિ દેશ પર ગુર્જર રાષ્ટ્રનો ધ્વજ ફરકી ઊઠ્યો, ત્યાંના કર્ણને ખંડિયો રાજા બનાવીને વચમાં વચમાં આવતા, નાના-મોટા રાજાઓને પણ નમાવતું ભીમદેવનું સૈન્ય પાટણ તરફ પાછું ફર્યું, ગુર્જર રાષ્ટ્રની સરહદ બહુ દૂર નહોતી, ત્યારે એક દિવસ પાટણથી આવેલા એક સંદેશવાહકે ભીમદેવની છાવણીમાં વિવિધ રંગી વાતાવરણ સરજી દીધું. એ સંદેશો જ એવો હતો કે, એના કારણે વાતાવરણમાં વિવિધ રંગો વિસ્તરે. એક તોફાની બાળકની જેમ આવીને ઘડીનું છમકલું કરી ગયેલા માલવ-સેનાપતિ કુલચન્દ્રના આગમને પાટણમાં સરજાયેલી પરિસ્થિતિનું અને એના પ્રતિકાર માટે લેવાયેલાં પગલાંઓનું ધ્યાન એ સંદેશામાં હતું, તેમજ પરિસ્થિતિ ગમે તે પળે પ્રવાહી બની જવાની શક્યતા આગળ કરીને વહેલી તકે પાટણ પધારી જવાની વિનંતી એ સંદેશામાં ભીમદેવ સમક્ષ મહામંત્રી નેઢે રજૂ કરી હતી.
આમ, તો ભીમદેવની વિજિગીષા કદાચ એમને અન્ય અન્ય નજીકના પ્રદેશો ભણી વિજય માટે ઉત્સાહિત કરી જાત, પણ જ્યાં
૧૭૦ આબુ તીર્થોદ્ધારક