________________
કુલચંદ્ર ગુજરાતનું પાણી જોઈ લીધું, એથી એ સીધો જ માળવાના માર્ગે થઈને ધારા પહોંચ્યો. પણ આ પૂર્વે જ પાટણ અને સ્તંભનપુરના બધા સમાચાર રાજા ભોજે મેળવી લીધા હતા, અને એથી એઓને ખૂબ આઘાત લાગ્યો હતો. એમણે કહ્યું : કુલચંદ્ર ! તેં તો રાજનીતિનો વિદ્રોહ કરીને મને કલંક્તિ બનાવ્યો ! આ રીતે વળી કોઈ દહાડો વિજય મેળવાતો હશે ? અને પાટણના રાજઆંગણે કોડીઓ વાવી ! તને બીજું કંઈ ન મળ્યું, જેથી તે કોડીઓને પસંદ કરી ! કોડી પણ એક જાતનું નાણું જ ગણાય ! કોડીનું વાવેતર કરવાની તને દુર્બુદ્ધિ જાગી, એની પરથી એક એવી ય આગાહી તારવી શકાય કે, માળવાનો કર પાટણના ચોપડે જમા થાય, એવા દહાડા હવે દૂર ન હોવા જોઈએ !
કુલચંદ્ર જીવની જેમ જયપત્ર જાળવી રાખ્યું હતું. એને વિશ્વાસ હતો કે, આ જયપત્ર વાંચતાં જ રાજાનો ક્રોધ શમી જશે અને કૃપા ઊછળવા માંડશે. એથી એણે ભૂલ બદલ ક્ષમાનો ભાવ વ્યક્ત કરીને કહ્યું : મહારાજ! લૂંટ ને દંડને ભલે સ્તંભનપુરના સંગ્રામમાં હું જાળવી ન શક્યો, પણ પાટણ પાસે નાક ઘસાવીને લખાયેલું આ “જયપત્ર' તો બરાબર જાળવ્યું છે !
રાજાએ જયપત્ર વાંચીને કહ્યું : માલ વિનાના આ ભરતિયાને શું કરવાનું ? આને તું જયપત્ર' સમજે છે ? ખરેખર ગાંડો ગણાતો ગુજરાતી ડાહ્યો નીકળ્યો અને મેધાવી ગણાતો માળવી એવો તું ગાંડાનો ગોર જ નહિ, ગાંડાઓમાં શિરમોર સાબિત થયો ! જયપત્રમાં ગૌરવ લેવા જેવું છે શું ? આનો ભાવાર્થ ચોખ્ખો એવો છે કે, ગુજરાત બળવાન છે, પણ અત્યારે રાજા ભીમદેવ ન હોવાના કારણે માળવા પોતાને મહાન મનાવવા માગતું હોય, એમાં અમારું મસ્ત લેવા માગતું હોય તેમજ માત્ર આવું મ7 મારવાથી પાટણ હેમખેમ ઊગરી જતું હોય, તો આવું મg મારનારો કંઈ નાનો ગણાતો નથી તેમજ એને જયપત્ર તરીકે સ્વીકારનારામાં કંઈ મોટાઈ આવી જતી નથી ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૬૯