________________
ભોજની રાજધાની ધારામાંથી નીકળીને ગુજરાત તરફ આગે બઢતો કુલચંદ્ર આ રાજનીતિને વિસારે મૂકીને, ગુજરાતને જીતવાની ઘેલછાનો ભોગ બન્યો હતો અને ખૂબ જ ઓછી મહેનતે તેમજ કૌવતની નજીવી કિંમતે, અરે ! પડતર ભાવે વિજયને ખરીદીને એ વીરત્વના વૈભવથી સમૃદ્ધ બનવા માગતો હતો. એનામાં સાચું વીરત્વ હોત, તો આટલા સસ્તા ભાવે, વિજયની ખરીદી કરવાનું સ્વપ્ન પણ એને સૂઝત નહિ.
સિંધપતિ હમીર સુમરાને હરાવીને રાજવી ભીમદેવની વિજયી સેના ચેદિ તરફ વધી ગઈ હતી. હવે તો સૌને વિશ્વાસ બેસી ગયો હતો કે, ચેદિપતિ કર્ણમાં જો બુદ્ધિનો છાંટોય હોય, તો એ સંધિ કર્યા વિના નહિ રહે અને એક સર્વ-સમૃદ્ધ રાષ્ટ્રની આજ્ઞા નીચે આવીને પોતાનું ગૌરવ વધારવાની આ પળને પ્રસન્નતાથી પોંખ્યા વિના નહિ રહે.
પંચનદની સીમાથી ચેદિ દેશમાં પહોંચતાં ૧૫-૨૦ દિવસ તો ઓછામાં ઓછા થઈ જ જાય એમ હતા. વિજયનો ઉલ્લાસ અનુભવતું ભીમદેવનું સૈન્ય ઉત્સાહ સાથે એ પંથ કાપી રહ્યું હતું, ત્યારે બીજી બાજુ પાટણમાં અણધારી રીતે એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ હતી.
ઘણાબધાને અંધારામાં રાખીને સેનાપતિ કુલચંદ્ર એક દહાડો પાટણના પાદરે આવ્યો, અને અનેરા ઉત્સાહ સાથે એણે પાટણને યુદ્ધ કાજે હાકલ કરી. વાતાવરણ વિકટ હતું, પરિસ્થિતિ પ્રતિકૂલ હતી. કારણ કે, રાજા ભીમદેવ સાગર જેવી સેના સાથે વિજયયાત્રાએ ગયા હતા અને પાટણમાં નગરરક્ષા પૂરતું જ સૈન્ય હતું. એથી કુલચંદ્રની સામે બાંયો ચડાવવાનો અર્થ હાથે કરીને સ્વનાશને નોતરવામાં પરિણમતો હતો.
કુલચંદ્રને ખાત્રી હતી કે, પાટણને સંધિ કર્યા વિના ચાલે એમ જ નથી, છતાં એણે થોડીક લૂંટફાટ ચલાવીને પોતાનું પોત પ્રકાશ્ય. એથી
૧૬ જ આબુ તીર્થોદ્ધારક