________________
કામ પતી જતું હોય, તો સમશેરની શક્તિનો ઉપયોગ ન થાય, આટલી સાદી અને સીધી વાત પણ શું તમને સમજાવવી પડશે ? બોલો, સિંધરાજ ! તલવાર તૈયાર છે ને કે હજી સરાણે ઘસીને તલવારને તેજસ્વી બનાવવાનું મુહૂર્ત કઢાવવા જોષીને તેડું મોકલવાનું બાકી છે ?
સિંધરાજે સણસણતો જવાબ વાળ્યો : સોયની અણીથી જ મને ખતમ કરવાના મિથ્યા ઘમંડમાં રાચનારો આ બિચારો કોઈ વણિક લાગે છે. એથી મારે બતાવી આપવું પડશે કે, હાથમાં ત્રાજવું ઝાલવું એ જુદી વાત છે અને તલવાર તાણવી એ જુદી વાત છે !
વળતી જ પળે વિમલે જવાબ આપ્યો : સિંધરાજ ! આજે તમે આંખ ફાડી-ફાડીને એ બરાબર જોઈ લેજો કે, ત્રાજવું ઝાલનારા મારા હાથ તલવારને કેવી શોભાવી જાણે છે ! જો તમે રાજી હો, તો આપણે બને જ આજે જંગ ખેલી લઈએ, આ સૈનિકોનાં લોહી વહાવવાની શી જરૂર છે.
સિંધરાજ વધુ આનંદમાં આવી ગયા. એમને થયું : એકલા જ લડવાનું હોય, તો તો આ વાણિયાને ચપટીમાં ચોળી નાખું! એમણે સમશેર ઘુમાવતાં કહ્યું : વિમલ ! તમે તમારું ત્રાજવું લઈ ને હાજર થઈ જાવ.
વિમલે વીરતાથી તલવાર તાણીને કહ્યું : મારી આ તલવાર જ તમારી કાયરતા જોખવા આજે ત્રાજવું બનવાની છે ! - બંને સૈન્યના વીર સૈનિકો જોતા જ રહ્યા અને પથ્થર જેવા સિંધરાજ તેમજ લોહ જેવા વિમલ વચ્ચે ખરાખરીનો જંગ પ્રારંભાઈ ગયો. બંને બળિયા હતા, છતાં વિમલના બાહુને વરેલ કળ-બળ સૌને વધુ આશ્ચર્યમુગ્ધ બનાવતા હતા. વિજયની આવનજાવન બંને પક્ષે થતી જ રહી. પણ કોઈ હાર સ્વીકારે, એમ ન હતું. વિમલે બળ-કળના પ્રયોગો અજમાવીને સિંહ જેવા સિંધરાજને સસલા જેવા બનાવી દીધા. સાંજ થવા આવી. ધાર્યું હોત તો વિમલ ક્યારનો ખેલ ખતમ કરી
૧૬૨ ૯ આબુ તીર્થોદ્ધારક