SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ એથી બનતી ઝડપે પ્રયાણ થયું અને સિંધ રાજ્યની પાટનગરીના પાદરે આવી જઈને, અજગર વૃક્ષને ભરડો લે, એમ ભીમદેવની સેનાએ પાટનગરને ઘેરી વળી. યુદ્ધના સૂર્યોદયની ઘડીઓ ગણાઈ રહી. બીજા દિવસની સવાર થતાં જ રણવાદ્યો વાગવા માંડ્યાં અને યુદ્ધનો પ્રારંભ થોડી જ વારમાં થઈ ચૂક્યો. દંડનાયક વિમલના અતિ આગ્રહથી ભીમદેવે આજ પછીના યુદ્ધમાં પાણી બતાવવાનો નિર્ણય કર્યો હતો. એથી એ દહાડે ગુર્જર-સૈન્યનું સુકાન હાથમાં ઝાલીને, પહાડ પરથી પડતા ધોધની અદાથી દંડનાયક વિમલ પોતાના સૈન્ય સાથે સિંધની સામે ધસી ગયા. હમીર સુમરાની ધારણા હતી કે, પહેલો માર મારે, એ કદી ન હારે ! એથી આજે એ સ્વયં સંગ્રામમાં ઊતર્યો હતો. પોતાની સામે જુવાનજોધ રૂપરૂપના અંબાર સમા અને જોતાં જ દુમનને પણ પ્યાર કરવા વિવશ બનવું પડે, એવા રૂડા-રૂપાળા વિમલને ઊભેલો જોઈને દયા કરતાં એણે કહ્યું : મને તારી પર દયામાયા જાગે છે. મજા કરવાની તારી આ વય છે, સજા ભોગવવાની તારે હજી વાર છે, અને તારા રાજાની નિષ્ફરતા અને નબળાઈ પર ખીજ ચડે છે કે, મરવા માટે બીજું કોઈ ન મળ્યું કે આવા બત્રીસ લક્ષણા પુરુષને મોતના મોંમાં ધકેલી દીધો ! વિમલ પાસે તો વીરરસનો ભંડાર ભરેલો જ હતો. એથી એણે કહ્યું : સિંધરાજ ! જો વાતોનાં વડાં તળવાથી જ યુદ્ધ જિતાતાં હોત, તો આ યુદ્ધના મોરચા બાયેલાઓથી અને બાયડીઓથી જ ઊભરાઈ ઊઠત ! મારી દયા ખાવાની જરાય જરૂર નથી. જો દિલમાં દયામાયા જાગતી જ હોય, તો સૈનિકને છાજે એવા આ વાઘા ઉતારી દઈને, ભગવાં ધારણ કરતાં તમને કોણ રોકે છે? નિષ્ફરતા અને નબળાઈના આક્ષેપોની સત્યાસત્યતાનો ફેંસલો કરવા તો આપણે ભેગા થયા છીએ. અમારા રાજા ભીમદેવ જેવી સમજણ અને સંગ્રામશક્તિ પામવા માટે તો ન જાણે, તમારે હજી કેટલા ભવ કરવા પડશે, સોયની અણીથી મંત્રીશ્વર વિમલ 26 ૧૬૧
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy