________________
મકવાણાને પડકાર્યો, એમા મોટી જાનહાનિ થઈ, છતાં સિંધનું ભાગ્ય જાગતું હશે, એથી કેશર મકવાણો મરાયો, હમીર જીત્યો, અને કચ્છના કીર્તિગઢ પર સિંધ-સામ્રાજયનો ધ્વજ ફરકી ઊઠ્યો.
આ યુદ્ધ ખેલાયાની હજુ કળ ઊતરી નહોતી, ત્યાં જ ગુજરાત તરફથી યુદ્ધનો લલકાર આવી પડવાના એંધાણ મળતા હમીર સુમરો એક વાર તો મૂંઝાયો, પણ એય મર્દનો બચ્ચો હતો, એથી યુદ્ધમાં જેની કિંમત છે, એ હિંમતને હૈયાથી જરાય વેગળી રાખ્યા વિના હમીર સુમરાએ ભીમદેવની સામે યુદ્ધના મેદાનમાં ઝંપલાવવાનો આખરી નિર્ણય કર્યો અને ગુજરાત તરફતી આવતી એ સંગ્રામ-સવારીનું સ્વાગત કરવા કાજે સજ્જ બનવા સિંધ કેડ કસી.
વર્ષાનું આગમન સૂચવવા જેમ વીજળી આગળ આવે, સૂર્યનો ઉદયકાળ જેમ પ્રભાતના પગલે સૂચિત થાય, એમ સંગ્રામનું સૂચન દૂત દ્વારા થાય ! જ્યાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના નામે આજે ઓળખાતી નદીઃ આ પાંચ નદીઓ સિંધુ નદીમાં મળતી હતી અને સિંધુને સાગર જેવું સામ્રાજ્ય બક્ષતી હતી, એ પંચનદપંજાબની નજીકના પ્રદેશમાં છાવણી નાખી રહેલા ભીમદેવે એક દહાડો સંગ્રામની સુરંગમાં દારૂગોળો ચાંપવા એક દૂતને હમીર સુમરાની સભામાં મોકલ્યો. એની સાથે પાઠવેલો સંદેશ દંડનાયક વિમલે તૈયાર કરાવ્યો હતો. એમાં લખ્યું હતું કે, સિંધના સામ્રાજ્યથી જ જો સંતોષ હોય, તો ગુર્જરાધિપતિ ભીમદેવ સાથે સંધિ કરો અને સ્વર્ગલોકનું સામ્રાજ્ય મેળવવાનો લોભ હોય, તો સંગ્રામને સ્વીકારો ! સિંધરાજ ! અત્યારે તો ગુજરાતની આ બે જ વાત છે.
ગુર્જરેશ્વરનો આ સંદેશ લઈને દૂત મારતે ઘોડે હમીર સુમરાની સભામાં જઈ પહોંચ્યો. પોતાના બળનું ઘમંડ ધરાવતી સિંધ-સભા એમ જ ધારતી હતી કે, ગભરાઈ જઈને ભીમદેવે સંધિ કરવા આ દૂત મોકલ્યો હોવો જોઈએ, પણ એ સંદેશો વાંચીને ગુસ્સે ભરાઈ ગયેલા અને ભૂકુટિ ચડાવીને ચહેરાને ભીષણ બનાવનારા હમીર સુમરાને મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૫૯