________________
વિમલ અને સંગ્રામસિંહને વાઘની બોડમાં હાથ નાખવા જેવી આ જીવલેણ જવાબદારી અપાઈ છે !
– ૦ –
ઇતિહાસના પાને સિંધે રોકેલાં પ્રકરણો ખૂબ જ થોડાં છે. ઈ.સ. ૭૧૧માં મહંમદ કાસીમની સરદારી હેઠળ આરબોએ સિંધ સામે આક્રમણ કર્યું હતું, ત્યારે ત્યાં દાહિરરાયનું રાજ્ય ચાલતું હતું. પણ આ આક્રમણ સામે સિંધ ટકી શક્યું નહોતું, ત્યારથી એની પાયમાલી પ્રારંભાઈ હતી. આરબો સાથે ઝઝૂમતો દાહિરરાય પોતાના જ સેનાધિપતિઓના વિશ્વાસઘાતનો ભોગ બનીને એ યુદ્ધમાં મરાયો અને સિંધ પર આરબ-સત્તાનો સૂર્યોદય થયો. પણ મધ્યકાળમાં સુમરા રજપૂતોએ માથાભારે બનીને એ મધ્યાહ્નને અસ્તાચલને આરે લાવી મૂક્યો, આરબોને એમણે હાંકી કાઢયા અને સિંધનું સિંહાસન એમણે કબજે કર્યું.
સિંધમાં સુમરા-રજપૂતોએ સરજેલી ક્રાંતિના આ પાયા આગળ જતાં જ્યાં સ્થિર થવાની આશા બંધાઈ, ત્યાં જ ગુજરાતના આક્રમણનું એ ભોગ બન્યું. ભીમદેવની સાથે જયારે દંડનાયક વિમલે મોટી સેના લઈને સિંધની સરહદ તરફ સંગ્રામની સવારી આગળ વધારી, ત્યારે સિંધના સિંહાસન પર હમીર સુમરાની હકૂમત હતી.
આ સમયે હમીર સુમરાએ કચ્છની થોડીઘણી ભૂમિ પડાવી લઈને સિંધની કીર્તિ વધારી હતી ખરી ! પણ એથી કચ્છના રાણા કેશર મકવાણા સાથે વેરવિરોધ પેદા થયો હતો, એ હમીર સુમરા માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો કારમો નીવડી રહ્યો હતો. કારણ કે કેશર મકવાણો બહુ બળિયો હતો અને પડાવી લેવાયેલી એ પૃથ્વીનો રોષ વ્યક્ત કરવા એ સિંધની સરહદમાં ઘૂસી જઈને અને નાનાંમોટાં છમકલાં કરતા રહીને, મોટા પ્રમાણમાં પશુધનને પડાવી લેતો હતો. રોજની આ લડાઈથી કંટાળીને એક વાર હમીરે પૂરી હિંમત સાથે કેશર
૧૫૮
આબુ તીર્થોદ્ધારક