________________
કરતાં પણ વીજળીના બહાને પ્રસન્નતા વ્યક્ત કરતા એ મેઘરાજા ગર્જનાના બહાને ખડખડાટ હસી પણ લેતા હોય છે. દંડનાયક વિમલના માથે અનેકવિધ જવાબદારીઓ હતી. આબુને જૈન તીર્થ બનાવવાનું મહાસ્વપ્ન તો આંખમાં ઘેરાયેલું હતું જ. તદુપરાંત જિનમંદિરથી મંડિત નવા મહેલનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું ને યુદ્ધની આ જવાબદારી તો ખૂબ જ મોટી હતી ! છતાં દંડનાયક વિમલ જરાય વ્યગ્ર બન્યા વિના બધી જવાબદારીઓને બરાબર અદા કરી રહ્યા અને એ ઘડીપળ આવી પહોંચ્યાં, જ્યારે રણઝાલરીના નાદે નાદે રાજવી ભીમદેવે પોતાની સંગ્રામ-સવારીને સિંધની સરહદ સુધી દોરી જવાનો આદેશ આપ્યો.
ગુર્જરેશ્વર પાટણપતિ શ્રી ભીમદેવને એકી સાથે બે મોરચે યુદ્ધ લઈને પ્રયાણ કર્યાના સમાચાર ધીમે ધીમે બધે ફેલાવા માંડ્યા. એથી મિત્રરાજ્યોમાં આનંદની અને સહાયક થવાની લાગણી ફેલાઈ રહી, તો શત્રુરાજ્યોમાં વિષાદની તેમજ સ્વ-સુરક્ષાની ચિંતા ઘેરી બની રહી. ભીમદેવની આણ મુજબ સિંધ તરફ કૂચ કરતા સાગર સમા સૈન્યના સેનાધિપતિ તરીકે દંડનાયક શ્રી વિમલને અને ચેદિદેશ તરફ આગળ વધતા સૈન્યના સેનાપતિ શ્રી સંગ્રામસિંહને જોવા ગામેગામ લોકોનાં ટોળેટોળાં ઊમટવા માંડ્યાં. બંને સૈન્યનો લગભગ ઘણોખરો રસ્તો તો એક જ હતો. સિંધના સીમાડા નજીક આવ્યા બાદ જ ચેદિ દેશનો રાહ અલગ ફંટાતો હતો. - દામોદર મહેતા મનમાં મલકાયા કરતા હતા અને વિચારતા હતા કે, વણિકોનું વીરત્વ હવે મપાઈ જશે. સિંધના હમીર સુમરાના હલ્લાને મારી હટાવવો, એ વાદળથી વિખૂટી પડી ચૂકેલી વીજળીને પાછી વાળવા જેવો ખેલ છે અને ચેદિરાજ કર્ણના સૈન્યની સામે પડવું, એ મહાસાગરની ભરતીને બાહુના બળથી હંફાવવા જેવી વાત છે. ખરેખર મારા મનોરથ હવે ફળવાની અણીએ આવીને ઊભા લાગે છે, જેથી જ મંત્રીશ્વર વિમલ ર૦ ૧૫૭