SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એથી માલવા સામે તો ક્યારે પણ મુકાબલો કરી શકાય એમ છે. એથી આપની નજરે જો મારા જેવાની એક વાત યોગ્ય લાગતી હોય, તો અત્યારે સિંધ તરફ સંગ્રામની સવારી લઈ જવા જેવી છે. ત્યાંથી ચેદિ તો નજીક જ છે. એથી જો વિધિ અને વાતાવરણ અનુકૂળ રહે, તો તો સંગ્રામની આ એક જ સવારી બંને દેશો પર વિજયનો વાવટો ફરકાવવામાં સફળ બની શકે, એવી આશા રાખવી, અસ્થાને નહિ જ ગણાય. રાજા ભીમદેવ સહિત સૌને આ વ્યૂહ પસંદ પડી ગયો. એક સિંધ પર વિજય મેળવી લેવાય, તો ચેદિ તો ચાકરનો ચહેરો ધરીને સામે પગલે શરણે આવે એમ હતું. આવો વ્યૂહ બતાવીને યશના ભાગીદાર બનનારા દંડનાયક વિમલ સામે અણગમો હોવા છતાં દામોદર મહેતાની સામે સિંધ-સંગ્રામથી વધુ સારો કોઈ વિકલ્પ નહોતો, એથી એમણેય વિમલની આ વાત વધાવી લીધી. અને થોડા જ દિવસોમાં વ્યૂહરચનાઓ વિચારાઈ જતાં ‘સિંધ સામે સંગ્રામ' જાહેર થઈ ચૂક્યો. આ જાહેરાતના પગલે પગલે પાટણની પ્રજામાં કોઈ નવી જ ચેતના રેડાઈ અને યુદ્ધને લગતી અનેકવિધ તડામાર તૈયારીઓથી પાટણ જ નહિ, સમગ્ર ગુજરાત ધમધમી ઊઠ્યું. યુદ્ધના વ્યૂહ તૈયાર કરવાથી માંડીને, સુસજ્જ સૈનિકોની ચૂંટણી કરવા સુધીની સર્વેસર્વા સત્તા દંડનાયક વિમલને સોંપવામાં આવી હતી. આ જવાબદારી નાનીસૂની ન હતી ! આ જવાબદારીની સફળતા જેમ ભારોભાર જશ અપાવવા સમર્થ હતી, એમ અસફળતા-અપજશનો ટોપલો માથે ઝીંકી દીધા વિના રહે એમ નહોતી ! પરંતુ મનસ્વી પુરુષોની એ જ વિશેષતા હોય છે કે, મોટામાં મોટી જવાબદારી પણ એમને વ્યગ્ર બનાવી શકતી નથી. માળી એક બગીચાને જળથી સિંચવામાં જ્યારે થકાવટ અનુભવે છે, જ્યારે મેઘરાજાના માથે આખા જગતને નીરથી નવડાવવાની મોટી જવાબદારી હોવા છતાં આ જવાબદારી અદા કરતાં આબુ તીર્થોદ્વારક ૧૫૬
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy