________________
જીતી લઈને, ગુર્જર રાષ્ટ્રનો વિજયધ્વજ અણનમ રાખવાના મનોરથ સેવ્યા કરતી, એ જાણતા હતા કે, આ જીત સહેલી નથી ! પણ મંત્રીશ્વર નેઢ અને દંડનાયક વિમલની સેવાઓ મળ્યા બાદ એમનામાં એવી શ્રદ્ધાનો ફરી સંચાર થયો હતો કે, એક દિવસ આ વિજિગીષા જરૂર ગુર્જર રાષ્ટ્રનો જયધ્વજ લહેરાવીને જ સંતોષનો શ્વાસ લેશે.
છેલ્લા થોડા સમયથી જે સમાચારો આવી રહ્યા હતા, એ રાજવી ભીમદેવની વિજિગીષાને ઉશ્કેરે એવા હતા, માલવપતિ ભોજરાજે શ્રી સૂરાચાર્ય સાથે જે વર્તન કર્યું હતું, એને એઓ ગુર્જર રાષ્ટ્રનું હડહડતું અપમાન સમજતા હતા, સિંધપતિ હમીરસુમરો વારંવાર ગુજરાતની સામે બાંયો ચડાવી રહ્યાના સમાચારો મળતા રહેતા હતા. ચેદિરાજ પણ ગુજરાતના વધતા જતા ગૌરવને જોઈને બળ્યા કરતો હતો અને બેઠો બળવો જગાવવાની ઠંડી તાકાત એકઠી કરી રહ્યો હતો.
આમ, માળવા, સિંધ ને ચેદિનો ત્રિભેટો ધરાવતું ગુર્જર રાષ્ટ્ર, મહા સાહસિક ભીમદેવ જેવા રાજવીને પામીને પોતાની સરહદોને સુવિશાળ બનાવવાના દિવાસ્વપ્નમાં રાચે એ કોઈ નવી કે નવાઈની વાત નહોતી ! એક દિવસ રાજા ભીમદેવે, ગુર્જર રાષ્ટ્રની આવી હાકલ મનોમન સાંભળીને કર્તવ્ય કાજે કટિબદ્ધ થઈ જવાના અવસરને વધાવી લેવાની વાત મંત્રીઓ સમક્ષ રજૂ કરતાં કહ્યું :
વનરાજ ચાવડાથી માંડીને આજ સુધી થઈ ગયેલા, પાટણના પ્રતાપી પૂર્વજો ગુર્જર રાષ્ટ્રના ગૌરવની વૃદ્ધિ કાજે કટિબદ્ધ રહ્યા છે, એનો જ આ પ્રભાવ છે કે, ગુર્જરની આ ધરતીના સીમાડાઓ વિસ્તરતાં આજે છેક માલવ, સિંધ ને ચેદિના ત્રિભેટાની ક્ષિતિજ સુધી પહોંચી ગયા છે. એથી પણ પૂર્વજોની આ એક પરંપરાને આગળ વધારવી, એ આપણી પણ એક ફરજ બને છે.”
ભીમરાજની આ ભૂમિકાનું હાર્દ પામી જઈને દંડનાયક વિમલે કહ્યુંઃ મહારાજ ! માલવાને મુઠ્ઠીમાં સમાવવું, એ તો સાવ સહેલી વાત મંત્રીશ્વર વિમલ ૧૫૫