SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજે ફાટી આંખે પૂછ્યું : કવિજી ! એટલે શું મંત્રશક્તિની વાત મિથ્યા? શું તમારી શક્તિથી જ શ્રી સૂરાચાર્યજી સુરક્ષિત રહી શક્યા? માંડીને વાત કરો, તો કંઈ ખ્યાલ આવે. તમે તો અભયના કવચથી સરક્ષિત જ છો, પછી ડરવાની જરૂર શી છે? ધનપાલને થયું કે, હવે તો પ્રતીક્ષાના તાંતણાને તાણીને લાંબો કરવામાં મજા નથી ! એથી એમણે બધી જ વાત કહી સંભળાવી. કવિએ એવી ભૂમિકા રચ્યા બાદ બધી વાત કરી હતી કે, ભોજ બળજબરીથી ગુસ્સાને બહાર ખેંચી લાવવા સફળ નીવડે એમ નહોતા ! - શ્રી સૂરાચાર્યજીની આ માયાજાળની વાત ધારા નગરીમાં ફેલાતાં કુલચંદ્ર નામના એક સાહસવીર સેનાપતિએ ખૂબ જ મર્માઘાત અનુભવ્યો અને એક દિવસ એમણે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે, મહારાજ ભોજ ! આપ આજ્ઞા કરશો, તો હું ગુજરાત પર વિજય મેળવીને એ ભીમને બતાવી આપીશ કે, અવંતિનો એક સેનાપતિ પણ ગુજરાતને જીતવા કેવો સમર્થ છે ! રાજા ભોજે કુલચંદ્રની પીઠ થાબડીને કહ્યું કે, યુદ્ધ જીતવા માટે જરૂરી ઉત્સાહ અને સાહસ : આ બે જરૂરી ચીજ તમારી પાસે છે, માટે તમારા વિજય માટે કોઈ શંકા નથી. તમે જણાવશો, ત્યારે તમારી ઇચ્છા મુજબના વિશાળ સૈન્ય સાથે ગુજરાત-વિજય માટે તમને વિદાય આપવામાં આવશે. મને વિશ્વાસ છે કે, ઘૂળમાં ઘમરોળાઈ ગયેલી ધારાની ધારણાને તમે પાછી સફળ બનાવશો. રાજા ભોજ અને સેનાપતિ કુલચંદ્ર છૂટા પડ્યા. પોતાના ગુપ્તચરો દ્વારા કુલચંદ્ર ગુજરાતની રાજકીય પરિસ્થિતિને પામવાના પ્રયાસો પ્રારંભી દીધા. થોડા મહિના પછી એક વાર ગુપ્તચરો દ્વારા જે સમાચાર મળ્યા. એથી પ્રોત્સાહિત થઈને સેનાપતિ કુલચંદ્ર રાજા ભોજને કહ્યું : રાજન્ ! આ સેવકને આજ્ઞા આપો, ગુજરાતના વિજય માટે આવી અનુકૂળ તક ફરી પાછી નહિ મળે. રાજા ભીમદેવે પોતાના તમામ બળ ૧૫ર જ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy