________________
સાથે સિંધ પર સંગ્રામ લઈ જવાનો અત્યારે નિર્ણય કર્યો છે ! આમ,પાટણનું પાંજરું અરક્ષિત બનશે, એથી એમાં રહેતા સ્વતંત્રતાના પક્ષીને કેદ કરતાં હવે શી વાર લાગવાની હતી !
ભોજને થયું કે, કુલચંદ્ર ખરો અવસર સાધ્યો ! એક તો ઢીલી ખીચડી ખાનાર ગુજરાત ને એમાં વળી રાજાના રક્ષણ વિનાનું પાટણ !
કુલચંદ્ર સેનાપતિએ ગુજરાત તરફ વિજય-યાત્રા કાજે પગલું ઉઠાવ્યું, ત્યારે ધારાનગરીનો હર્ષ જાણે છલકાઈ-ઉભરાઈ જઈને નીચે વેરાઈ રહ્યો હતો.
મંત્રીશ્વર વિમલ
છે ૧૫૩