SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વાત સાંભળીને શ્રી સૂરાચાર્ય પણ ખડ ખડ હસી રહ્યા. કવિએ કહ્યું : મહારાજ ! હસવાના સ્થળ-સમય આ નથી ! ગુજરાતની સરહદમાં પ્રવેશ કર્યા પછી જેટલું હસવું હોય, એટલું આપ હસી શકો છો. આજનો અત્યાર સુધીનો સમય તો હેમખેમ પસાર થઈ ગયો છે, પણ રાજાઓને હજારો આંખ અને પગ હોય છે, એથી બહુ જ સાવચેતી પૂર્વક આપની વિદાયનો ભૂહ મેં ઘડી કાઢ્યો છે. શ્રી સૂરાચાર્યજીને થયું કે, ખરેખર મને આ પરમહંત મહાકવિ ધનપાલનું પીઠબળ પ્રાપ્ત ન થયું હોત, તો પૂ. ગુરુદેવે ખાનગીમાં કહેલા અને દંડનાયક વિમલ આદિની સમક્ષ રજૂ કરેલાં ભયસ્થાનોના ભરડામાં હું આબાદ ભીંસાઈ જાત ! એથી એમણે ગંભીરતાથી કહ્યું : મહાકવિ ! બોલો, તમારો બૃહ શો છે? કવિએ ચોમેર નજર ફેરવી લઈને ખૂબ જ ધીમા સ્વરે કહેવા માંડ્યું : જુઓ, મહારાજ ! અહીંથી લગભગ રોજ તંબોળીઓ મોટા જૂથમાં ગુજરાત તરફ જતા હોય છે, રોજની એમની એ અવરજવર ચાલુ હોય છે, એથી ગુપ્તચરો આદિના સંદેહનો વિષય એઓ ભાગ્યે જ બને છે. માટે આપે આ તંબોળીઓના જૂથમાં ભળી જઈને માલવાની સરહદ પૂરી કરી નાખવાની છે. કાલથી આઠમે દિવસે આપ ગુજરાતની સરહદમાં પ્રવેશી જશો, ત્યાંથી પાછી આપે શ્રી સૂરાચાર્યજી તરીકે આગળ વધવાનું છે. મારા એક વિશ્વાસુ માણસ સાથે આ ઘટનાના અને અઠવાડિયા પછી ગુજરાતની સરહદે આપની સેવામાં ઉપસ્થિત રહેવાના સમાચાર કાલે જ દંડનાયક વિમલ પર રવાના થઈ જશે. કવિએ વાત પૂર્ણ કરીને માફી માંગતાં કહ્યું : મહારાજ ! આપને અમે જેટલા ઠાઠમાઠથી અહીં લાવ્યા, એટલા જ અસંતોષ સાથે પાછા મોકલીએ છીએ. એ બદલ અત્યારે તો હું જ ક્ષમા યાચું છું. આપનું આગમન ખરેખર જૈનશાસનનો જયજયકાર જગવવામાં પ્રબળ નિમિત્ત બની ગયું છે, એમાંય આજના પ્રસંગે તો એમાં જબરો જુવાળ આણ્યો મંત્રીશ્વર વિમલ છે ૧૪૯
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy