________________
સૌ ભાતભાતની કલ્પનાદોડ મચાવી રહ્યા. કવિ ધનપાલની ચબરાક આંખ ભીંત પર પડી. ત્યાં સૂરાચાર્યજીના હસ્તાક્ષરમાં અંકિત એક સંદેશો હતો. એમાં લાલ લીટી તાણીને લખ્યું હતું :
જયપત્રના નામે મને પકડવાનું કાવતરું રચનારા રાજા ભોજને મારું ખુલ્લું આહ્વાન છે કે, બુદ્ધિના બળથી મને પકડવામાં બાયેલા પુરવાર થનારા તમે બધા મને બહાદુરીના બળથી કેવી રીતે કેદ કરો છો, એ હું જોઈ લઉં છું! મંત્રશક્તિના પ્રભાવે ગુજરાતની વાટે ગયેલા મને પકડવા જે શૂરા હોય, એ દોડ્યા આવજો ! જે મારો પીછો નહિ કરે, એના કપાળે આપોઆપ જ અંકિત થઈ જનારા કાયરબાયલાના કલંકને હું તો કઈ રીતે ભૂંસી શકીશ?
શ્રી સૂરાચાર્યજીની મંત્રશક્તિની આ વાત ફેલાતાં જ આખી નગરીમાં એટલી બધી વાતો થવા માંડી કે, પ્રજાનો ઘણો મોટો ભાગ જૈનાચાર્યની આવી અનેકવિધ શક્તિને બે મોઢે વખાણી રહ્યો. રાજા ભોજના કાને, આ રીતે હાથતાળી આપીને છટકી ગયેલા શ્રી સૂરાચાર્યની વાત આવતાં, એઓ પોતાના બીજા ગાલે પણ ચમચમતો તમાચો વાગતો અનુભવી રહ્યા. એક ગાલ પર તો સવારે બરાબરની થપ્પડ લાગી જ ચૂકી હતી.
રાજા ભોજની મનઃસ્થિતિ બે બાજુથી વિચિત્ર હતી, એક તો વિદ્વત્ પ્રિયતા'ની એની કીર્તિ ધૂળમાં મળી હતી, બીજું ગુર્જરેશ્વર ભીમદેવના પાટણમાં આ પગલાના પડનારા પ્રત્યાઘાતો અવંતિ માટે સારા હોવાની શક્યતા નહિવત્ હતી. ફાળ ચૂકી ગયેલા સિંહ જેવો પશ્ચાત્તાપ અનુભવતા રાજા ભોજે કવિ ધનપાલને પૂછ્યું : શું સૂરાચાર્યજી મંત્રશક્તિનાય સ્વામી છે?
કવિએ જવાબમાં સવિનય જણાવ્યું કે, મહારાજ ! આ વિષયમાં આપના કરતાં વધારે તો હું પણ જાણતો નથી !
સંધ્યાના રંગ વિલાઈ જાય, એ પૂર્વે તો કવિ ધનપાલ પોતાના મહેલના ભૂમિગૃહમાં જઈ પહોંચ્યા. ખેલાઈ ગયેલા પ્રહસનની બધી
૧૪૮ આબુ તીર્થોદ્ધારક