SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ હોહા મચી ગઈ હતી અને વાતાવરણ તંગ બની રહ્યું હતું. પરિસ્થિતિ જાણી લઈને ધનપાલે કહ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી પતાવીને બહાર નથી આવ્યા ? ચાલો, હું એમને લઈ આવું. જયપત્ર મેળવવાના આવા અવસરનું મહત્ત્વ એમને સમજાવીને હું અબઘડી જ પાછો આવું છું. ધારાની ધારણાને ધૂળમાં થોડી જ મળવા દેવાય ! વાતાવરણ શાંત થઈ ગયું. સૈનિકોને સાથે રાખીને ધનપાલ ઉપાશ્રયમાં પ્રવેશ્યા, એમણે પૂછ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી કરી રહ્યા નથી ? ભોજ એમને ‘જયપત્ર' આપવા યાદ કરે છે અને એઓએ બપોરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું પણ છે. સંભવ છે કે, આ વાત એમનાથી ભુલાઈ ગઈ હોય ! બધા મુનિઓએ કહ્યું : આ સામેની ઓરડીમાંથી શ્રી સૂરાચાર્યજી હજી બહાર જ નીકળ્યા નથી ! બે કલાક થવા આવ્યા, દરવાજો પાછો અંદરથી બંધ છે, માટે અમે પણ ચિંતામાં પડ્યા છીએ. સભામાં જવા તૈયાર થઈને બેઠેલા મુનિઓની આ વાત સાંભળીને ધનપાલે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી કે, જયપત્ર સ્વીકારવાની આ ધન્ય પળે વળી આ શું ? શું ઓરડીનાં દ્વાર અંદરથી બંધ છે ? ધનપાલે સૈનિકોને આદેશ આપ્યો કે, આ બારણા ઉપર ચડી જઈને અંદર તપાસ કરો. શ્રી સૂરાચાર્યજી શ્રમિત બનીને સૂઈ તો નથી ગયા ને ? સૈનિક બારી ઉપર ચડ્યો, એણે ઉપરની એક નાની જાળીમાં થઈને અંદર ડોકિયું કર્યું અને એનાથી ચીસ પડી ગઈ : કવિજી ! દગો દગો, ભારે દગો ! અંદર શ્રી સૂરાચાર્યજીનો પડછાયો પણ નથી ! શું ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઈ જશે ? આખા ઉપાશ્રયનું વાતાવરણ વળી પાછું ગંભીર અને તંગ બની ગયું. એ ઓરડીનું મુખ્યદ્વાર તો અંદરથી બંધ જ હતું, પણ બીજા એક દ્વારે બહારથી તાળું લટકતું હતું. એને ખોલાવીને સૌ અંદર પહોંચ્યા, તો કપૂરની ગોટીની જેમ અદ્દેશ્ય બનેલા શ્રી સૂરાચાર્યજીની કરામત પર મંત્રીશ્વર વિમલ ૧૪૭
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy