SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ! આપ અમારા રાજા ભોજને બરાબર ઓળખતા નથી, નહિ તો આજની સભામાં આપ આપનું પાણી બતાવવા તૈયાર થાત જ નહિ ! આ સભા તો એવી છે કે, અહીં વિજય મેળવનારને પરાજયથીય વધુ પીડા સહવાનો વારો આવે છે અને પરાજય પામનારો પોતાનું જીવન બચાવી શકતો હોવાથી, વિજયથી પણ સવાઈ ક્રીડા માણી શકે છે. આજે તો આપે ગજબની હિંમત બતાવી. પ્રશ્નોત્તરમાં સૌની બોબડી બંધ કરીને, છેલ્લે છેલ્લે વ્યાકરણની જે ભૂલ તરફ આપે ઠેકડી ઉડાડી, એ તો ગજબનું સાહસ ખેડાઈ ગયું ગણાય, કારણ કે એ ભોજ-વ્યાકરણ અહીંની એકે એક પાઠશાળામાં ભણાવાય છે, કોઈએ આજ સુધી આ ભૂલ કાઢી નથી. એથી જ રાજાએ “જયપત્ર'ના નામે બીજા જ કોઈ ઇરાદે આપને બોલાવ્યા છે. માટે ધારાની ધારણાને ધૂળમાં મેળવવા હવે કોઈ બાજી રચવી જ રહી ! સૂરાચાર્યની આંખમાં આશ્ચર્યનો ઊભરો હતો : આવી ઈર્ષા વિદ્વત્તાનું આવું મિથ્યા ઘમંડ ! કવિએ કાનમાં કહ્યું : મહારાજ ! અત્યારે તો આ રાજદૂતને કોઈ બહાનું કાઢીને રવાના કરો. પછીની બાજી આપણે ગોઠવી કાઢીશું ! વળતી જ પળે શ્રી સૂરાચાર્યે રાજદૂતને જવાબમાં જણાવ્યું કે, રાજવી ભોજને કહેજો કે, સભામાંથી હું હજી હમણાં જ આવ્યો છું, ગોચરી-પાણી હજી બાકી છે, એથી મોડેથી આવવું ફાવશે. અમારે વળી “જયપત્રની શી જરૂર ? છતાં રાજાનો આગ્રહ જ હોય, તો બપોર પછી રાજયસભામાં આવવાનું બનશે. આ સંદેશો લઈને રાજદૂત રવાના થયો. એ ઉપાશ્રયમાં ઘણા ઘણા સાધુઓ હતા, એથી એક ગુપ્ત ખંડમાં શ્રી સૂરાચાર્ય અને ધનપાલ વચ્ચે મંત્રણા પ્રારંભાઈ, જેમાં દાળમાં જે કાળું હતું, એનો તાગ કાઢીને શ્રી સૂરાચાર્યજીને બતાવવા કવિરાજ કટિબદ્ધ બન્યા. સૈનિકે રાડ પાડી : મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ? ખબર નથી, અમે આપને સૌને સસ્વાગત રાજયસભામાં લઈ જવા ક્યારનાયે તૈયાર ઊભા છીએ ! મંત્રીશ્વર વિમલ છે ૧૪૫ . આ
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy