________________
કે
.
.
ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઇ
Olot
(COO
કેટલાક વિજય એવા હોય છે કે, એને ખરીદવા એવી કિંમત ચૂકવવી પડતી હોય છે કે, એ વિજય કરતાં તો પરાજય સારો અને સોંઘો લાગે ! જેની પર વિજય મેળવ્યો હોય, એ પાત્ર કદીક એવું વિચિત્ર હોય છે કે, મેળવેલા એ વિજય કરતાં પરાજય ઓછો આનંદપ્રદ ન લાગે ! આ નીતિવાણી મહાકવિ ધનપાલના અંતર આગળ તાજી થતી હતી. શ્રી સૂરાચાર્યજીને મળેલો વિજય એમને પરાજય કરતાં જરાય ખરાબ જણાતો નહોતો. પણ હવે તો વિજય મળી ચૂક્યો હતો, એથી ભાવિની સુરક્ષા જ વિચારવાની હતી. કવિએ સૂરાચાર્યજીને કહ્યું :