________________
કાળજાને કંપાવી ગઈ, એઓ અધ ઘડી પછી તરત જ સચિત હૈયે શ્રી સૂરાચાર્યજી પાસે ઉપાશ્રયમાં જઈ ઊભા. પ્રાપ્ત થયેલ વિજયના ભયંકર ભાવિ અંગે કવિ શ્રી સૂરાચાર્યજીને હજી વાકેફ કરે, એટલામાં રાજદૂતનું આગમન થયું. એણે વિનંતી કરી કે, શ્રી સૂરાચાર્યજી ! રાજા ભોજ આપને અબઘડી જ “જયપત્ર'નું સમર્પણ કરવા આમંત્રે છે !
મહાકવિ ધનપાલે ઉપાશ્રયની બહાર નજર કરી, તો ચારે તરફ સૈનિકોની અભેદ્ય દીવાલ રચાઈ ગઈ હતી. દરેક સૈનિકના મો પર ઊમટેલી રોષ અને જોશની રેખાઓ જોઈને મહાકવિ ધનપાલ, સૂરાચાર્યજીની સુરક્ષા અંગે સાવધ બનીને ગંભીર પગલું લેવા અંદર જઈ પહોંચ્યા !
મંત્રીશ્વર વિમલ
૧૪૩