________________
આકાર નાશ પામે છે, આ અપેક્ષાથી ઘડી અનિત્ય પણ છે. બોલો, હવે આવા સંબંધને શંભુમેળો માનનારને, ઢોર ચારનારા ગોવાળ કરતાં પણ વધુ મૂર્ખ કેમ ન માની શકાય?
આ પ્રશ્નાર્થ સૌના કાળજે સણસણતા બાણની જેમ વાગ્યો. અને સૌ ગંભીર બની ગયા, ત્યાં જ એક વ્યાકરણ ગ્રંથ સૂરાચાર્યજીના હાથમાં રાજા ભોજે આપ્યો. એના રચયિતા સ્વયં ભોજ હતા, પણ રાજાને ધાર્યા કરતાં જુદો જ પ્રતિભાવ સાંપડ્યો, એ વ્યાકરણનો મંગલાચરણનો પ્રથમ શ્લોક વાંચીને જ શ્રી સૂરાચાર્ય હસી પડતાં બોલ્યા : આ વ્યાકરણના રચયિતાની સરસ્વતીદેવી કોઈ જુદા જ સ્વર્ગમાં સંચરનારી લાગે છે ! નહિ તો આમાં સરસ્વતીનો તરીકે ઉલ્લેખ ન હોત ! આખી દુનિયા જાણે છે કે સરસ્વતી બ્રહ્મચારિણી છે. પણ આના રચયિતાએ આમાં સરસ્વતીનો વધૂ તરીકે ઉલ્લેખ કર્યો છે, તો આ વધૂનો વર કોણ છે ? એનો ખુલાસો થાય, તો આ વિદ્વત્ સભાને કોઈ જુદું જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય !
એ વ્યાકરણના રચયિતા ભોજ રાજા સ્વયં હતા, સૂરાચાર્યના આ ટોણાથી એમનું મોટું પડી ગયું અને બધા વિદ્વાનોનાં મોં સિવાઈ ગયાં. સૂરાચાર્યજીની વાત સાવ સાચી હતી, કારણ કે એ વ્યાકરણના પ્રારંભમાં જ મંગલાચરણ રૂપે સરસ્વતીનું એ રીતે સ્મરણ કરવામાં આવ્યું હતું કે, બ્રહ્માના મુખકમળ રૂપી વનમાં હંસવધૂની જેમ વિલાસ કરનારી ને શુદ્ધ વર્ણવાળી સરસ્વતી મારા મનમાં હંમેશાં વિલાસ કરો !
અંદરથી કોપાભિભૂત થયેલા રાજા ભોજે તરત જ સભાને વિસર્જિત કરી. મહાકવિ ધનપાલ ભોજના મોં પર અંકાયેલી રોષની રેખાઓ જોઈને મનોમન ધ્રૂજી ઊઠ્યા. ધારાની સભામાં વિજયી બનનારને, આ વિજયના વિપાક રૂપે કેવો પરાજય વેઠવો પડતો હતો, એ વાતનો એમને બરાબર ખ્યાલ હતો. એથી જૈનશાસનના આ વિજયના પ્રત્યાઘાત રૂપે આવી પડનારા પરાજયની કલ્પના એમના
૧૪૨ % આબુ તીર્થોદ્ધારક