________________
દિવસે પ્રતિ-ગાથા રૂપે ગુજરાતે વાળેલો જવાબ એમણે સાંભળ્યો હતો, ત્યારથી જ એમણે એવું અતૂટ અનુમાન કરેલું કે, આવો સુંદર જવાબ વાળનાર શ્રી સૂરાચાર્યજી જ હોવા જોઈએ !
ગુજરાતનો જવાબ આવ્યા બાદ ભોજરાજાએ જે પ્રતિપગલાં લીધાં હતાં, એથી ધનપાલ કવિએ તો ખૂબ જ આનંદ અનુભવેલો અને એઓ મનોમન એવી ભાવનાસૃષ્ટિ પણ રચતા રહેલા કે, શ્રી ગોવિંદસૂરિજી રાજા ભોજનું આ આમંત્રણ સ્વીકારી લે તો સારું !
મહાકવિ ધનપાલ ચુસ્ત જૈન હતા. ને ધારામાં જ શા માટે, પૂરા અવંતિ દેશમાં ત્યારે જૈનત્વની જ્યોત એવી જ્વલંતતા સાથે નહોતી પ્રકાશતી કે, એની પર ગૌરવ અનુભવાય ! આ દૃષ્ટિએ પણ શ્રી સૂરાચાર્યજીનું અવંતિ આગમન મહાકવિને અત્યંત જરૂરી જણાતું હતું.
એક દિવસ રાજા ભોજ ઉપર ગુર્જરાધિપતિ ભીમદેવનો પત્ર આવ્યો, પત્રના સમાચાર ધારામાં ફેલાતાં ફેલાતાં અવંતિમાં આગળ વધવા માંડ્યા અને સમગ્ર અવંતિના પંડિતો વાયુદ્ધની તડામાર તૈયારીઓ કરવા મંડી પડ્યા. કેમ કે અવંતિના જ્ઞાન-ધ્વજને અણનમ રાખવામાં યોગદાન આપવાનો આવો અવસર પહેલવહેલો જ આવતો હતો, એથી એની ભરપૂર તૈયારીઓથી આખો દેશ હલબલી ઊઠ્યો. ગુજરાતથી પ્રયાણ કરી ચૂકેલા શ્રી સૂરાચાર્યજીના આગમન પૂર્વે જ એમની કીર્તિકથાઓ આગળ આગળ આવીને અવંતિમાં ફેલાવા માંડી અને એથી પંડિતોને વધુ ને વધુ પોરસ ચડવા માંડ્યું, અને એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે ભોજ રાજાએ સામે પગલે જઈને શ્રી સૂરાચાર્યજીનું અદ્ભુત સ્વાગત કર્યું. ભોજ રાજાની હકડેઠઠ ભરાયેલી સભામાં શ્રી સૂરાચાર્યજી બિરાજ્યા, ત્યારે પોતાની કવિતા અને કલ્પનાશક્તિનો પ્રારંભિક પ્રકાશ પાથરતા એમણે ભોજ રાજાને ઉદ્દેશીને ગાંભીર્યથી ભરી ભરી વાણીમાં કહ્યું કે,
રાજન્ ! તમારી કીર્તિસુંદરી જળજીવોથી ભયંકર સમુદ્રને એકલી જ ઓળંગી જાય છે, આધાર વિનાના આકાશમાં કોઈનોય આધાર
૧૩૮
%
આબુ તીર્થોદ્ધારક