________________
દંડનાયક આદિ વિદાય થયા, થોડાક દિવસો પછી આવતા શુભમુહૂર્ત શ્રી સૂરાચાર્યજીનું અવંતિ-પ્રયાણ નક્કી થયું. બીજે જ દિવસે રાજા ભીમદેવ પોતે જ સામે પગલે ઉપાશ્રયમાં આવ્યા, એમણે શ્રી સૂરાચાર્યજીને કહ્યું : આપની વિદ્વત્તાએ ખરેખર રાજા ભોજની વિજિગીષા પર જ્વલંત વિજય મેળવ્યો ! જો આ ગાથા અમને ન મળી હોત, તો આજે જે ગુર્જર રાષ્ટ્રમાં આપના અવંતિપ્રયાણને અભિનંદવા કાજે મહોત્સવ જેવું વાતાવરણ રચાયું છે, ત્યાં યુદ્ધના ભીષણ ભણકારા ગાજતા થઈ ગયા હોત ! હવે આપ જ્યારે સાક્ષાત્ સ્વદેહે ભોજની સભામાં પધારી રહ્યા છો, ત્યારે ગુજરાતની ત્યાં ગુંજી ઊઠનારી ગૌરવગાથાની માત્ર કલ્પનાથી પણ અમને સૌને આજે પોરસ ચડી રહ્યું છે.
જ્યારે ગૌરવનાં એ ગાન, અવંતિના સીમાડા વટાવીને પાટણના પાદરે આવી પહોંચશે, ત્યારે તો મને લાગે છે કે, પ્રત્યેક ગુજરાતી ગાંડો થઈને વિજયનૃત્ય મનાવશે.
રાજા ભીમદેવને આના જવાબમાં એટલું જ સાંભળવા મળ્યું કે, રાજન્ ! આ બધો પ્રભાવ દેવ-ગુરુની કૃપાનો છે. જે કૃપા મારા જેવા બાળકને અહીં સુધી આંગળી ઝાલીને ચડાવી ગઈ, એ જ કૃપા મને અવંતિમાં હેમખેમ પહોંચાડીને ગુજરાતના અને જૈનત્વના ઝંડાને દિગદિગંતમાં લહેરાવવામાં સહાયક થયા વિના નહિ જ રહે, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે.
સ્મિત સાથે આવેલા ભીમદેવ, મલક મલક હસતા વિદાય થયા. અવંતિ પ્રયાણનાં એ ઘડી-પળ આવ્યાં અને કોઈ રાજવી વિજયયાત્રાએ સંચરતો હોય, એવા ઉલ્લાસ અને એવી શુભકામનાઓ સાથે શ્રી સૂરાચાર્યજીને પાટણે વિદાય આપી.
મહાકવિ શ્રી ધનપાલની ધારણા સાવ સાચી પડી. પાટણ અને ગુજરાતમાં ગાજતા શ્રી સૂરાચાર્યજીના નામકામના પડઘા એમણે એક જૈનત્વના નાતેય ખૂબ જ અહોભાવથી સાંભળેલા હતા. એથી જે મંત્રીશ્વર વિમલ ૦ ૧૩૭