SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અને નગરશેઠ શ્રીદત્ત આદિનું આગમન થયું. એમના મોં પર હાસ્ય હતું. ઉપાશ્રયમાં છવાયેલા ગંભીર વાતાવરણને એકાએક પલટો આપતી ખુશાલી વ્યક્ત કરતાં એમણે કહ્યું : “રાજા ભોજ શ્રી સૂરાચાર્યજીનાં દર્શન કરવા ઝંખી રહ્યા છે, એથી ભોજનો નિમંત્રણ-પત્ર મહારાજ ભીમદેવ પર આવ્યો છે કે, ગુજરાતના ગૌરવની ગાયક કથાના એ સર્જક વિદ્વાનને વહેલી તકે અવંતિમાં મોકલવા ઘટતું કરશો. આવા વિદ્વાનને આવકારતાં અમારી પંડિત-સભા જરૂર ગૌરવ અનુભવશે. માટે આ ગાથાના સર્જક જે કોઈ વિદ્વાન હોય, એ વિદ્વાનને મારું આ નિમંત્રણ પહોંચતું કરીને આભારી કરશો.’’ આગમનની ભૂમિકા ટૂંકમાં રજૂ કરીને દંડનાયકે રાજા ભોજનું એ આમંત્રણ શ્રી ગોવિંદસૂરિજીના હાથમાં મૂક્યું. એના વાંચનથી એમનું રોમેરોમ નાચી ઊઠ્યું. આટલા બધા પ્રગટ હર્ષનું કારણ સમજાવતાં એમણે સૌની સમક્ષ આજની જ તાજી ઘટના અને પળ પહેલાં જ શ્રી સૂરાચાર્યજીએ સ્વીકારેલી પ્રતિજ્ઞાની વાત કહી બતાવી. ‘જૈનં જયતિ શાસનમ્’ નો નાદ ગજવતાં સૌ બોલી ઊઠ્યા કે, આ પ્રતિજ્ઞાનું ભાવિ ભવ્ય હશે, એટલે જ કાર્ય-કારણના આ બધા અંકોડાઓ આજે અણધાર્યા જોડાઈ જવા પામ્યા છે. માટે આપ અનુજ્ઞા ફરમાવો, એથી રાજા ભીમદેવ આ આમંત્રણની સ્વીકૃતિની ખુશાલીના સમાચાર અવંતિ પાઠવી શકે ! આગળ-પાછળનો દીર્ઘ વિચાર કરીને શ્રી ગોવિંદસૂરિજીએ અવંતિનું એ આમંત્રણ સ્વીકારવા સંમતિ આપી. રાજા ભોજ વિદ્વાન હોવા છતાં ગુર્જર રાષ્ટ્રના પાકા વિરોધી હોવાથી જે કોઈ વિકટ પરિસ્થિતિઓ પેદા થવાની શક્યતા હતી, એ તરફ સૌનું ધ્યાન શ્રી ગોવિંદસૂરિજીએ કેન્દ્રિત કર્યું. કારણ કે પોતાના શિષ્યોની અવિજેય વિદ્વત્તા પર એમને પૂરેપૂરો વિશ્વાસ હતો. ૧૩૬ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy