SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ફળી જાય, એવી ઉતાવળી અપેક્ષા રખાય ખરી ? ધાક બેસાડવા માટે જ રખાયેલો લોહદંડ કદીક આવેશમાં આવી જઈને તું કોઈની પર ઝીંકી દે, તો કબૂતરની જેમ આ બધા વિદ્યાર્થીઓ ઊડી જઈને બીજો આશ્રય શોધી લે કે બીજું કંઈ ? એમાં તારીય શી શોભા અને મારીય શી શોભા ! શ્રી સૂરાચાર્યજીએ સ્વબચાવ કરતાં કહ્યું : ગુરુદેવ ! આમાં શોભાનો સવાલ જ ક્યાં છે ! આ બધાને તૈયાર કરવાની મને ચિંતા છે, એટલે જ આવી કડકાઈ બતાવવી પડે છે ! ( શ્રી ગોવિંદસૂરિજીને થયું કે, ટોણો માર્યા વિના કામ નહિ થાય, ટકોરને હવે અવકાશ નથી. એથી એમણે ઠાવકાઈથી કહ્યું: વત્સ ! શું તું ભોજરાજાની વિદ્વત્-સભાને જીતી આવ્યો છે કે, આ વિદ્યાર્થીઓ પર આવી કડકાઈ કરે છે ! તું ભોજની સભાને જીતી આવ, પછી જરૂર લોહદંડ વાપરજે ! ઉપાશ્રયમાં સન્નાટો છવાઈ ગયો. શ્રી સૂરાચાર્યજીએ વળતી જ પળે ગુરુદેવના પગમાં માથું મૂકતાં કહ્યું કે, ગુરુદેવ મને પ્રતિજ્ઞા કરાવો. જ્યાં સુધી ભોજરાજાની સભાને જીતીને અવંતિની એ વિક્રતુ સભામાં “જૈન જયતિ શાસનમ્" નો ઝંડો લહેરતો ન મૂકી શકું ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. - શ્રી સૂરાચાર્યની પ્રતિજ્ઞાના આ બોલ સાંભળીને સૌએ આઘાતની લાગણી અનુભવતાં કહ્યું? ગુરુદેવ ! ગુરુદેવ ! આવો તે વળી નિયમ હોઈ શકે ખરો? પછી અમને કોણ ભણાવશે? અને અહીંની સભામાં અવસરે અવસરે જૈનશાસનના સિદ્ધાંતોને અણનમ રાખવા કોણ આગળ આવશે? સમજાવટના આ પ્રયત્નો પાછળ ઘડી વીતવા આવી, પણ સત્યપ્રતિજ્ઞ શ્રી સૂરાચાર્યજી પોતાના સંકલ્પને દઢતાથી વળગી રહ્યા. ગુરુદેવો કંઈક ખિન્ન બનીને એમને વધુ સમજાવવા તૈયાર થયા, ત્યાં તો રંગમાં ભંગ પાડતું દંડનાયક શ્રી વિમલ, સેનાપતિ શ્રી સંગ્રામસિંહ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૩૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy