________________
એક વાર શ્રી સૂરાચાર્યજી જરા વધુ કડક બન્યા. “સોટી વાગે ચમ ચમમાં માનનારા એમણે એક દહાડો પોતાના પરિચારકને એવો આદેશ આપ્યો કે, આ સોટી તો રોજે રોજ તૂટી જાય છે, એના કરતાં એક લોહદંડ વસાવી લઈએ, તો પછી તૂટવાની ચિંતા જ ન કરવી પડે !
આ આજ્ઞા સાંભળીને વિદ્યાર્થી-શિષ્યો થરથર ધ્રૂજી ઊઠ્યા. સૌ શિષ્યો ભેગા થઈને શ્રી ગોવિંદસૂરિજી પાસે પહોંચી ગયા, અને કહ્યું કે, ગુરુદેવ ! શ્રી સૂરાચાર્યજીની અધ્યાપન-કુશળતાનો તો જોટો જડવો મુશ્કેલ છે. પરંતુ એમનો સોટી-માર પણ અમે ખમી શક્તા નથી, ત્યાં આજે લોહદંડની આજ્ઞા છૂટી છે. માટે આપ યોગ્ય કરશો, નહિ તો આ જ્ઞાનશાળા કાલથી ધીમેધીમે ખાલી થવા માંડશે.
શ્રી ગોવિંદસૂરિજી બધી જ વાત પામી ગયા. એમણે કહ્યું : તમે અપ્રમત્ત બનીને અભ્યાસ કરો, એ માટે જ શ્રી સૂરાચાર્ય આવું કરે છે. એને કંઈ તમારા પ્રત્યે દ્વેષ નથી. તમે બધા બરાબર અભ્યાસ કરતા હો, તો આ પ્રશ્ન જ ઊભો ન થાય. છતાં હું જરૂર યોગ્ય સૂચના આપીશ.
થોડી વાર પછી શ્રી ગોવિંદસૂરિજીએ શ્રી સૂરાચાર્યજીને બોલાવીને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તે લોહદંડ મંગાવ્યો છે. વત્સ ! આવો કોપ શ્રમણને શોભે ખરો?
શ્રી સૂરાચાર્યે કહ્યું : ગુરુદેવ આ બધા શિષ્યો તૈયાર થઈને દેશપરદેશના વાદીઓને જીતવા દ્વારા જૈનશાસનનો જયજયકાર ગજવે, આ જ એક આશયથી મારે કડક થવું પડે છે. બાપ કરતાં બેટો સવાયો પાકે એમાં જેમ બાપની શોભા છે, એમ આપણા બધા કરતાં આ વિદ્યાર્થી-શિષ્યોને સવાયા બનાવવાની મારી ઇચ્છા છે, એથી જ ધાક બેસાડવા માટે મેં લોહદંડ મંગાવ્યો છે.
શ્રી ગોવિંદસૂરિજીએ કહ્યું : હજી આ બધા તો અલ્પમતિ બાળકો ગણાય, એથી આમના માટે આવી મોટી આશા અત્યારે ને અત્યારે
૧૩૪ % આબુ તીર્થોદ્ધારક