________________
| વાત વિજયની ! પ્રત્યાઘાત પરાજયના !
(
Soor
ગુજરાતના ગૌરવધ્વજને અવંતિની માત્ર એક જ ગાથા દ્વારા અણનમ રાખીને, અને વધુ વિખ્યાતિ અપાવવામાં નિમિત્ત બની જનારા શ્રી સૂરાચાર્ય પૂર્વાવસ્થામાં રાજકુમાર હતા. શ્રી ગોવિંદાચાર્યના શિષ્ય શ્રી દ્રોણાચાર્ય એમના ગુરુસ્થાને બિરાજતા હતા. ભીમદેવની સભામાં આ બધા જૈનાચાર્યોનું અપૂર્વ માન હતું. ભીમદેવ સાથેના સંસારી સગપણ કરતાંય, આ ગુરુત્રયીને વરેલી વિદ્વત્તાનો જ એ પ્રભાવ હતો કે, ભીમદેવ જેવો માંધાતા પણ એમની આગળ નમ્રતા દાખવવામાં ગૌરવ અનુભવતો.