________________
કરામત છતી થાય છે ! શું ગુજરાતમાં આવી પણ વિદ્વત્તાનો વસવાટ છે ખરો ? જો હોય, તો એનાં મારે દર્શન કરવાં છે અને આ વિદ્ધ-સભામાં એને આમંત્રીને મારે મારી સભાના પંડિતોનું પારખું કરવું છે. માટે અત્યારે ગુજરાતને છંછેડવાનું પગલું ભરવા હું તૈયાર નથી, એક વાર આ ગાથાના સર્જકને ધારાની આ ધરતી પર આમંત્રીને પછી ભવિષ્યમાં જે પગલાં ભરવા જેવાં લાગશે, એ ભરીશું. પણ હાલ તો ગુર્જરપતિ સાથેની સંધિને દઢ બનાવીને, આ વિદ્વાનને પાઠવવાના આમંત્રણનો સંદેશ બનતી ઝડપે પાટણ મોકલવાનો મારો આદેશ છે.
સૌ કોઈ ભોજરાજાની મનસ્થિતિના આ વિચિત્ર વળાંકને નીરખી રહ્યા. ઉગામાયેલી સમશેરો મ્યાન થઈ ગઈ. વિજિગીષાની સામે વિદ્વત્તાએ એ દહાડે ભવ્ય વિજય મેળવ્યો. અને ભોજરાજાનો એક સંદેશવાહક ગુજરાત તરફ રવાના થયો. એ સંદેશમાં બે વાત લખવામાં આવી હતી : એક, ગુજરાત સાથેની સંધિની દઢતા ! બે, ગાથાના સર્જક વિદ્વાનને ધારાની રાજસભામાં પધારવાનું ભાવભીનું નિમંત્રણ !
મંત્રીશ્વર વિમલ
છે ૧૩૧