________________
જન્મ આપી શકે, ગુજરાત પાસે તો વાણિયા અને વૈશ્યો સિવાય બીજું છે જ શું ! પરંતુ જ્યાં ગુર્જરેશ્વરનો સંદેશ સૌના કાને અથડાયો, ત્યાં જ બધાના મનની ભ્રમણાઓનો ભાંગીને ભુક્કો થઈ ગયો, દાંત ચકચાવીને સૌ બોલી રહ્યા : રે ! કેવો આ કટાક્ષ ! શું આપણે કૌરવના કુળના પક્ષપાતી ! ‘અંધક' આ વિશેષણ જ કેટલું બધું ખારભર્યું અને ઝે૨ પાયેલા બાણ જેવું વેધક છે !
કોઈ હાથ પછાડીને રોષથી બોલ્યું : પોતાને યુધિષ્ઠિરના વંશજ ગણાવતા ભીમદેવની આંખ પોતાની ગર્વિષ્ઠતાના ભડકાથી જ્યાં અંજાઈ ગઈ હોય, ત્યાં એને બીજા બધા આંધળા દેખાય, એમાં નવાઈ નથી. કારણ કે આંધળો દેખતાનેય આંધળો ગણવાની ભૂલનો ભોગ બને, એ અશક્ય નથી. પણ જ્યારે યુદ્ધના મેદાનમાં શસ્ત્રો સામે અફળાતાં શસ્ત્રોમાંથી વેરાતા તેજતણખા ભીમદેવની આંખને આંજી નાખશે, ત્યારે જ એને સાચી સ્થિતિનું ભાન થશે કે, ખરેખર અંધકના વિશેષણ માટે તો ગુજરાત જ યોગ્ય છે !
અંધક ! આ શબ્દ સૌને ખૂબ જ ખાઈ ગયો અને એથી ઘણાની આંખ સામે મુજ સિંધુલના જીવનમાં ઘટેલી દુઃખદ ઘટનાઓ ઊપસી આવી અને એ કરૂણાન્ત જીવન પર કાતિલ કટાક્ષ કરીને, એ દુઃખદ સ્મૃતિઓને તાજી કરાવતા ‘અંધક’ વિશેષણના પ્રયોજક ગુજરાત સામે રણ-ઝાલરીનો નાદ ઘેરો બનાવવા સૌ સમસ્વરે સમસમી ઊઠ્યા. પરંતુ ભોજદેવની મનઃસ્થિતિ તો જુદી જ હતી. સભામાં વ્યાપી ગયેલા સન્નાટાની જ્વાળાઓને ઠારી દેતી પાણી જેવી વાણીમાં એમણે કહ્યું :
‘કવિ ધનપાલ ! ગુજરાતની આ ગાથાએ અવંતિની સત્તાના સિંહરાજની કેસરાં સાથે અડપલું કર્યું છે, એમાં કોઈ ઇન્કાર કરી શકે એમ નથી ! પણ ગાથામાં ગૂંથાયેલા વેધક વીરત્વને હાલ બાજુ પર રાખીને, આમાં શબ્દે શબ્દે ગૂંથાયેલી વિદ્વત્તા અને કલ્પનાનું કૌશલ્ય શું આરતી ઉતારવા જેવું ભવ્ય નથી લાગતું ? ગાથામાં ગૂંથાયેલા શ્લેષ પાછળ એક ભૂતકાળને વર્તમાન સાથે જોડી દેવાની કેવી અદ્ભુત
આબુ તીર્થોદ્વારક
૧૩૦