________________
ગુજારી રહ્યો. મુંજના ચપ્પણિયામાં એંઠવાડ નાખનારા લોકો પણ એના અંગેઅંગમાં આગ પેટાઈ જાય, એવાં વાંકાં વેણ સંભળાવીને ઘા પર મીઠું ભભરાવવા લાગ્યા. આ રીતે મહિનાઓ નહિ, વર્ષો વીતી ગયાં. મુંજને થયું કે, આવું દુઃખ તો નરકમાં પણ નહિ હોય !
એક દિવસ પ્રધાનોએ તૈલપદેવને કહ્યું : મહારાજ ! હવે ખમૈયા કરો. મુંજની આબરૂ ઘણી લૂંટી. માટે કાં હવે એને પહેરામણી આપીને માલવાના મંદિરે મોકલી આપો, કાં ફાંસીએ ચડાવીને મૃત્યુના મંદિરે મોકલી આપો. તૈલપદેવનું હૈયું હજી વેરની વસૂલાત લેવાના ખુન્નસથી ખળભળતું જ હતું. એ બોલ્યા : મુંજને વળી પહેરામણી કેવી? એના ગળામાં ફાંસીના ફાંસલા સિવાય શોભે એવું આભૂષણ મને તો બીજું કોઈ જ દેખાતું નથી. માટે એને ફાંસીને માંચડે ચડાવીને એના માથે દહીં ચોપડજો, જેથી કાગડાઓ ચાંચ મારીમારીને એના માથાને ફોલી ખાય ! એના માથે કાગડા બેસશે, તો જ મને સંતોષ થશે.
મુંજને વધાવવા કમોત નજીક આવ્યું અને એક દિ ફાંસીના માંચડે લટકાવેલા મુંજના દેહ પર દહીંનો ઘડો ઠાલવવામાં આવ્યો, થોડી વારમાં જ એક વખતના માલવપતિ મુંજનો દેહ કાગડાઓ માટે ઉજાણી બની ગયો. રાજયાંધતા, કામાંધતા અને સ્ત્રી પર મુકાયેલો આંધળો વિશ્વાસ આ બધું કદીક કેવો કરપીણ અંજામ સરજી જાય છે, એનો નાદર નમૂનો પૂરો પાડતા મુંજરાજનો જીવ એક ગોઝારી પળે તરફડીતરફડીને કાયાની કેદમાંથી બહાર નીકળી ગયો ! ત્યારે એને વળાવવા કાગડાઓનાં ટોળાં સિવાય ત્યાં કોઈની હાજરી કળાતી નહોતી !
– – શ્રી સૂરાચાર્યની વિદ્વત્તાએ જેના શબ્દોમાં વેગીલા બાણ જેવી વેધકતા ઠાંસી ઠાંસીને ભરી હતી, એ ગુર્જરાધિપતિ ભીમદેવનો એ સંદેશ રાજા ભોજની સભામાં પહોંચ્યો. ગુજરાતનો જવાબ સાંભળવા, માલવપતિ અને એમની સભાના સભ્યો ખૂબ ખૂબ આતુર હતા. સૌના મનમાં એક એવી જ છાપ હતી કે, વિદ્વાનો અને વીરોને તો માળવા જ મંત્રીશ્વર વિમલ ૬ ૧૨૯