SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે જૈન મંત્રીઓનું યોગદાન ઊડીને આંખે વળગ્યા વિના રહે તેમ નથી. એમાંય મંત્રીશ્વર વિમલે ગુર્જર રાષ્ટ્રની પ્રતિષ્ઠાની વિજયપતાકાને અણનમ રીતે લહેરતી રાખવામાં, ધર્મના ધ્યેયથી જરા પણ ચલાયમાન થયા વિના તન-મન-ધનથી જીવનનું જે સમર્પણ કર્યું, એનો ઇતિહાસ તો ખૂબ જ રોમાંચક છે. જાણ્યા છતાં અજાણ્યા જેવા આ સુદીર્ઘ ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ, તો દંડનાયક વિમલના પ્રતાપી પૂર્વજો યાદ આવ્યા વિના નહિ રહે. જે વિમલમંત્રીએ તાજ વિનાનું રાજ ભોગવવા જેવું યશસ્વી જીવન જીવી જાણ્યું અને જીવનના ઉત્તરાર્ધની સમગ્રતાને આબુ-ગિરિરાજને કલા અને કોણીથી ભરપૂર જિન-મંદિરોથી મંડિત બનાવવા પાછળ સમર્પી દીધી, એ મંત્રીશ્વર વિમલમાં આવી શક્તિભક્તિનાં અદૃષ્ટ સર્જક પરિબળો તરીકે એમના પૂર્વજોનું નામ-સ્મરણ કરીએ, તો નેઢ, વીર, લહિર અને શ્રેષ્ઠી નીના સહેજે સહેજે સ્મૃતિના સરોવરે કોઈ શતદલ-કમળની અદાથી ઊપસ્યા વિના ન રહે. ગુજરાતની પાસે જ્યારે રાજાઓ હતા, પણ એમને સુદૃઢ બનાવી રાખે, એવો માતબર મંત્રીવંશ ન હતો, ત્યારે વનરાજ ચાવડાના સમયમાં વિમલમંત્રીના પૂર્વજ નીનાએ જાણે મંત્રીવંશનો પણ સુદૃઢપાયો પૂરવાનું કર્તવ્ય અદા કર્યું. કોઈ શુભ શુકને અને કોઈ ધન્યઘડીએ આ કર્તવ્ય શ્રેષ્ઠી નીનાએ અદા કર્યું હશે, એથી જ એમની પરંપરામાં થયેલા, બળ અને કળથી શૂરા-પૂરા પુરુષો ગુર્જર રાજ્યને દંડનાયક અને મંત્રી તરીકે મળતા રહ્યા. આ પુણ્ય-પરંપરા છેક મહારાજા કુમારપાળ સુધી ચાલતી રહી. એમના રાજ્યમાં પૃથ્વીપાલ અને ધનપાલે મહામાત્યનું પદ વફાદારી અને વીરતાપૂર્વક અદા કરી જાણ્યું હતું, આ બે મંત્રીઓ શ્રેષ્ઠી નીનાના જ વંશજ હતા. આમ વિક્રમ સંવત ૮૦૨ માં અહિલપુર પાટણની સ્થાપનાના પાયા સાથે ગુર્જર રાષ્ટ્રનો પાયો પણ નંખાયો અને વિ. સં. ૧૨૩૨ આબુ તીર્થોદ્ધારક ૨
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy