________________
કથાના પ્રવેશ-દ્વારે
૧
ગુર્જર રાષ્ટ્ર યુગયુગથી પોતાની આગવી અસ્મિતાથી ભારતીય ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાનમાન પામતું જ આવ્યું છે. વનરાજ ચાવડાએ છેલ્લે છેલ્લે ગુર્જર રાષ્ટ્રનો ખૂબ જ સુદૃઢ પાયો નાખ્યો, આ પાયા પર આગળ જતાં રાજા ભીમદેવે અને એથીય આગળ આગળ વધતાં ચૌલુક્ય રાજા પરમાર્હત શ્રી કુમારપાળે પ્રજાની આધ્યાત્મિક અને ભૌતિક પણ એવી મનોહર માંડણી કરી કે, આ યુગીન ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત થયો. આવા ઇતિહાસના સર્જક તત્ત્વોના તારલામાં ચંદ્રની જેમ ચમકી ઊઠતા તત્ત્વ