________________
સુધીના સમયમાં મહારાજા કુમારપાળે એ પાયા પર રચાયેલા પ્રાસાદ પર સંસ્કારિતાનો સુવર્ણ કળશ સ્થાપિત કરીને એ શિખરે દિગદિગંતવ્યાપી ધર્મધ્વજ લહેરાતો મૂકવાનું યશસ્વી કર્તવ્ય અદા કર્યું. આ બધામાં દંડનાયક વિમલ અને એમના પૂર્વજો તેમજ અનુજોનો ફાળો નાનોસૂનો આંકી શકાય એમ નથી ! એ પૂર્વજોનો પૂરો પરિચય મેળવવા માટે ભિન્નમાલ નગરમાં દષ્ટિપાત કરવો અનિવાર્ય બની જાય છે.
અનેક તડકી-છાંયડી અનુભવનાર ભિન્નમાલનગરી પાસે પોતાનો એક યશસ્વી-તેજસ્વી ઇતિહાસ છે. રાજકીય, ધાર્મિક કે સાહિત્ય-ક્ષેત્રે ભિન્નમાલનું પ્રદાન અનોખું રહ્યું છે. પુષ્પમાળ, રત્નમાળ અને શ્રીમાળ તરીકે આ નગરી જ્યારે નામાંકિત હતી, ત્યારનો ઇતિહાસ પૂરતા પ્રમાણમાં અનુપલબ્ધ હોવા છતાં, આ નગરી જ્યારથી ભિન્નમાલ તરીકે ઓળખાવા માંડી, ત્યારથી આનો જે ઇતિહાસ ઉપલબ્ધ થાય છે, એ પણ ઓછો રોમાંચક નથી !
પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનાં પગલાંથી ભિન્નમાલ નગરી પાવન થયાનો પ્રઘોષ ઇતિહાસમાં સચવાયો છે. આ પરમતારક પ્રભુનો જે શ્રમણસંઘ વટવૃક્ષની જેમ અનેક શાખા-પ્રશાખાઓમાં ફાલ્યો-ફૂલ્યો એમાં શ્રમણ-સંઘીય શાખાઓનાં અનેક નામોમાં એક નામ “ભિન્નમાલ શાખા”નું પણ વાંચવા મળે છે.
પૂર્વે શ્રીમાળ તરીકે ઓળખાતી આ નગરી વિ. સં. ૭૩૧માં ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ બની, બરાબર આ જ સમયમાં રાજા વૃદ્ધભોજે ઉજ્જૈનનગર વસાવ્યાનો ઉલ્લેખ ઇતિહાસમાં નોંધાયેલો છે. વિક્રમની નવમી શતાબ્દીના સમયે સમૃદ્ધિના સર્વોચ્ચ શિખરે શોભતી ભિન્નમાલ નગરી તત્કાલીન ગુર્જર રાષ્ટ્રના પાટનગર તરીકે પ્રતિષ્ઠિત હતી, તે વખતે ભિન્નમાલથી છેક પંચાસર સુધીનો પ્રદેશ ગુર્જર તરીકે
મંત્રીશ્વર વિમલ
© ૩