________________
રાજ્યાભિષેક કર્યો. એક વાર મુંજના મન ઉપર કર્ણાટક દેશ તરફનાં રાજયો પર વિજય મેળવવાની ધૂન સવાર થઈ. પોતે જેને છ છ વાર જીત્યો હતો, એ કટકાધિપતિ તૈલપદેવ આજે અવંતિની આજ્ઞા સ્વીકારવા તૈયાર ન હતો, એથી એની પર પણ જીત મેળવવાની મુરાદ મુંજે ભોજ સમક્ષ વ્યક્ત કરી. પણ અત્યારે એ યુદ્ધ છેડવા જેવું નહોતું, એથી ભોજે કહ્યું : વધુમાં વધુ ગોદાવરી નદીને ઓળંગીને આગળ વધવાનું સાહસ ન ખેડવાની આપ પ્રતિજ્ઞા સ્વીકારો, તો જ આપને યુદ્ધ માટે જવા દઈશું. કારણ કે આથી આગળ વધવામાં સાર નથી, અને શાણપણ પણ નથી.
મુંજ ભોજ સમક્ષ વચનબદ્ધ બનીને યુદ્ધ માટે નીકળ્યો. રાજ્યો જિતાતાં ગયાં, એમ એની પ્રદેશ-ભૂખ વધતી ગઈ, એથી પ્રતિજ્ઞાનો ભુક્કો બોલાવી દઈને પણ ગોદાવરીની મર્યાદા તોડીને એણે તૈલપદેવની સામે યુદ્ધ જાહેર કર્યું. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું જ પરિણામ આવ્યું. એ યુદ્ધમાં મુંજરાજ ભુંડી રીતે કર્ણાટકનો કેદી બન્યો. પણ આ કેદના પડદા પાછળ પ્રેમનું એક વિચિત્ર નાટક થોડા દિવસ બાદ ભજવાવા માંડ્યું.
તૈલપદેવને મૃણાલવતી નામની એક બહેન હતી. એ મુંજ પર મોહિત બની અને થોડા જ દિવસો પછી મુંજ માટે જેલ પણ મહેલ જેવી મજા કરવાનું સ્થાન બની ગઈ ! મુંજ અને મૃણાલવતીનો પ્રેમ એ કેદમાં ગાઢ બનવા માંડ્યો અને બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ બંધાયો. થોડાં વધુ વર્ષ વીત્યાં. કર્ણાટકની કેદથી મુંજ હવે કંટાળ્યો હતો. એણે ગુપ્ત સંદેશો પાઠવીને, પોતાની મુક્તિનો માર્ગ તૈયાર કરવા અવંતિપતિ ભોજને સૂચવ્યું.
જબરી માયાજાળ રચાઈ. એક ગુપ્ત માર્ગ તૈયાર થયો અને અવંતિના માણસોની સહાયથી મુંજે ભાગી છૂટવાનું નક્કી કર્યું, એની બધી યોજના પણ તૈયાર થઈ ગઈ. પણ મૃણાલવતી સાથે બંધાયેલ સ્નેહના તાણાવાણા લોખંડી બેડી બનીને, મુંજને જકડી રહ્યા, એથી
મંત્રીશ્વર વિમલ
છે ૧૨૭