________________
રાજ્યાધિકારી નહિ બને, ભોજન ભાગ્યરેખા બળવાન છે, માટે આને મારાઓ પાસે મારી નંખાવીને મારે ઊગતા શત્રુને ડામી જ દેવો જોઈએ.
મુંજે મારાઓને ધનની લાલચ આપીને ભોજની હત્યાનું કાર્ય સોંપ્યું. મારા ભોજને એક જંગલમાં લઈ ગયા. અને મુંજનો આદેશ સંભળાવતાં એઓ રડી પડ્યા. ભોજ ભણેલો હતો. એણે કહ્યું કે, તમારે તો રાજાજ્ઞા જ પ્રમાણ છે ! માટે તમે મારો વધ કરી શકો છો. પણ મારો આટલો સંદેશો રાજાને આપજો. એમ કહીને ભોજે વડના પાંદડા પર, લોહીથી એક સુભાષિત લખી આપ્યું. એમાં લખ્યું હતું કે, મહારાજા મુંજ ! સત્યયુગના અલંકાર સમો રાજવી માંધાતા ચાલ્યો ગયો ! રાવણના સંહારક શ્રી રામચન્દ્રજી પણ આજે ક્યાં જોવા મળે છે. યુધિષ્ઠિરથી માંડીને આપના પિતાજી સુધીના રાજાઓનાં પદચિહ્ન પણ આજે જોવા મળતાં નથી. આ બધા રાજાઓ હાથ ઘસતા ગયા, આમાંથી તસુભાર જમીનને ય કોઈ સાથે ન લઈ શક્યા. પણ મને ચોક્કસ એમ લાગે છે કે, આ ધરતી જરૂર પરભવમાં આપની સાથે તો આવશે, આવશે ને આવશે જ !
આવી નીડરતા જોઈને મારાઓનાં મન પીગળી ઊઠ્યાં. એમણે ભોજને સંતાડી દીધો, અને અળતાના રસથી લેપાયેલી છરી સાથે મુંજ પાસે જઈને એમણે ભોજનો સંદેશો આપતાં કહ્યું કે, મહારાજ ! છરી વડે પોતાના શરીરમાંથી લોહી કાઢીને, એ લોહીથી ભોજે આ સંદેશો લખી આપ્યો છે.
સંદેશો વાંચતાં જ મુંજરાજની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા. ગદ્ગદ કંઠે એ બોલ્યા : હાય ! હાય ! રાજ્યના લોભે હું બાળહત્યારો બન્યો ! હવે આવા પાપી જીવનનો ભાર વેંઢારવાથી શું? મને અગ્નિની જ્વાળાઓ સિવાય બીજું કોણ શુદ્ધ કરી શકશે?
મારાઓએ મુંજનું મનપરિવર્તન જોઈને હકીકત રજૂ કરી અને રાજાજ્ઞા થતાં જ ભોજને હાજર કર્યો. થોડા વર્ષ પછી મુંજે ભોજનો
૧૨૬ આબુ તીર્થોદ્ધારક