________________
સિંધુલે શબ્દવેધી બાણકલા માગી, પ્રેતે આવી કળા આપવા ઉપરાંત એને ચિત્રવેલી આપીને કહ્યું : તું હવે માલવમંડલમાં જજે. તારું ભાગ્ય જોર કરે છે, ત્યાં તારી સંતતિને અપૂર્વ સામ્રાજ્ય મળશે ! સિંધુલે આ પછી થોડીઘણી સેના એકઠી કરી ને એ માલવમંડલમાં આવ્યો, મુંજરાજને આ વાતની ખબર મળતાં જ એણે સિંધુલને સન્માનભેર તેડાવીને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું. પણ એનો ઉદ્ધત સ્વભાવ હજી ગયો ન હતો. એથી એની શક્તિ ખતમ કરવાના મનસૂબા મુંજ ઘડી રહ્યો. એમાં એક વાર મર્દન-કળાના અદ્ભુત જાણકારો એની પાસે આવ્યા. શરીરના સાંધા ઢીલા કરીને એઓ માણસને મૂચ્છિત પણ બનાવી શકતા. તેમજ એ સાંધા પાછા ઠેકાણે લાવીને સચેતન પણ બનાવી શકતા. - મુંજે મર્દન-કળાના એ જાણકારોને ખાનગીમાં બધી સૂચના આપીને સિધુલની સેવા કરવા મોકલ્યા. એમણે સિંધુલના સાંધે સાંધા ઢીલા કરી નાખીને એને મૂચ્છિત બનાવી દીધો. બરાબર આ જ વખતે સિંધુલની આંખ શસ્ત્ર-પ્રયોગ દ્વારા બહાર કાઢી નાખવામાં આવી અને એ સચેતન બને એ પૂર્વે જ એને કાષ્ટ-પિંજરામાં પૂરી દેવામાં આવ્યો. સાંધા પાછા ગોઠવાઈ ગયા. થોડી વાર પછી એની ચેતના પાછી ફરી. એનું સિંહ જેવું સાહસ ખળભળી ઊઠ્યું. પણ પાંજરામાં પડેલો સિંહ શું કરી શકે ?
થોડા દિવસો વીત્યા, સિંધુલની પત્ની ગર્ભવતી હતી, એણે એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ ભોજ ! એની જન્મકુંડલી તૈયાર કરાવાઈ, મુંજ એ કુંડલી જોઈને છક્ક થઈ ગયો. એમાં ભોજના ભાવિ અંગે ફલાદેશ ભાખવામાં આવ્યો હતો કે, આ બાળક પપ વર્ષ, ૭ મહિના અને ૩ દિવસ સુધી દક્ષિણાપથનું એકછત્રી વિશાળ સામ્રાજ્ય ભોગવશે.
આ વખતે ભોજની વય માત્ર આઠ વર્ષની હતી. મુંજને વિચાર આવ્યો કે, આ ભોજ જો જીવતો રહેશે, તો તો મારી વંશપરંપરા મંત્રીશ્વર વિમલ ર૦ ૧૨૫