________________
ગૂઢગર્ભા હતા. એમણે એક પુત્રને જન્મ આપ્યો છે. એનો જન્મોત્સવ રાજ્ય તરફથી ઊજવાશે.
રાજાએ એ બાળકનું નામ મુંજ રાખ્યું. જેથી એની પ્રાપ્તિનો પ્રસંગ ભુલાય નહિ. મુંજ નામક ઘાસના પુંજ વચ્ચે તરછોડાયેલો એ મુંજ ભાગ્યનો બળિયો હતો. એથી એ રાજપુત્ર તરીકે વધવા માંડ્યો. બીજી પટ્ટરાણીએ થોડા મહિના બાદ એક પુત્રને જન્મ આપ્યો. એનું સિંધુલ નામ રાખવામાં આવ્યું.
થોડાં વર્ષો બાદ સિંહભટે પહેલી પટરાણીના પુત્ર મુંજનો રાજ્યાભિષેક કર્યો અને બીજી પટ્ટરાણીના પુત્ર સિંધુલને યુવરાજપદે સ્થાપ્યો. થોડો કાળ વીત્યો. રાજા સ્વર્ગવાસી થયા. મુંજનું પ્રારબ્ધ જોરદાર હતું, એથી સિંધુલ એની ઈર્ષા કર્યા કરતો, ઘણી વાર એ રાજાજ્ઞાની સામો પણ થતો. એક વાર અવસર જોઈને મુંજે એની સંપત્તિ પડાવી લઈને એને દેશનિકાલ કર્યો.
સિંધુલ પાસેથી તો મુંજે બધું લૂંટી લીધું, પણ એનું ભાગ્ય થોડું લૂંટાયું હતું ? સિંધુલ આબુની તળેટીમાં આવેલા કાસÇદ ગામમાં જઈને પલ્લીપતિ બન્યો. એના હાથ નીચે ઘણા ચોરો કામ કરવા લાગ્યા. એક રાતે સિંધુલ આબુ પર ચિત્રકવેલીની શોધ માટે અપૂર્વ સાહસ સાથે નીકળ્યો, ત્યાં વચમાં જ એક વિચિત્ર ઘટના બની.
વચમાં એક પ્રેતભૂમિ આવતી હતી. ત્યાં અપરાધીઓને ફાંસીના માંચડે ચડાવવાનો એક વધસ્તંભ હતો. એની નીચે સૂઈ રહેલા એક મોટા ભૂંડને જોઈને સિંધુલે એની પર બાણ છોડ્યું. એટલામાં જ બાજુમાં પડેલું એક શબ ભયંકર અટ્ટહાસ કરવા માંડ્યું. પણ સિંધુલ જરાય ગભરાયો નહિ, એ શબમાં પ્રવિષ્ટ કોઈ પ્રેતે જ્યારે સિંધુલને બિવરાવવા કરેલા અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે એણે કહ્યું કે, સિંધુલ ! માગ, તને જે જોઈએ એ માગ !તારા સાહસ પર હું સંતુષ્ટ થયો છું.
૧૨૪
આબુ તીર્થોદ્ધારક