________________
માલવ માટે ‘રાંકનો માળવો' એમ પણ બોલાતું. એનું રહસ્ય એ હતું કે, માળવામાં કદી દુકાળ ડોકાતો નહિ, એથી આસપાસના દેશોમાં વરસ જ્યારે નબળું હોય ત્યારે માલધારીઓ અને ભરવાડો પોતાનાં ઢોરઢાંખર સાથે માળવામાં ચાલ્યા જતા. માળવાની ધરતી એ પશુઓને ઉદારતાથી ઘાસચારો પૂરી પાડતી.
ગુજરાતની ગાદી પર જ્યારે ભીમદેવનું સામ્રાજ્ય હતું, ત્યારે માલવ દેશની પાટનગરી ઉજ્જયિનીથી ફેરવાઈને ધારા બની હતી, અને ધારાનગરીમાં રાજા ભોજનો પ્રખર સૂર્ય તપી રહ્યો હતો. એમનો ભૂતકાળ ભાગ્યની પ્રબળતા, કર્મની વિચિત્રતા અને રાજપાટની ખટપટ-પ્રધાનતાનો સૂચક હોવાથી ખૂબ જ પ્રસિદ્ધ હતો. ધારેલી ધારણાઓ કઈ રીતે માટીમાં મળી જતી હોય છે અને અણધારેલું કઈ રીતે એકાએક આકાર લઈ લેતું હોય છે, એના હૂબહૂ ચિતાર તરીકે ત્યારે મુંજ-સિંધુલ અને ભોજનાં નામ-ઠામ વિશ્વપ્રસિદ્ધ હતાં.
અવંતિની પાટનગરી જ્યારે ઉજ્જયિની હતી, ત્યારે ત્યાં પરમારવંશીય રાજવી સિંહભટનું રાજ્ય તપતું હતું. એની પટરાણી શૃંગારમંજરીને એકે પુત્ર ન હતો. એનું અંતઃપુર ખૂબ જ વિશાળ હતું. શિકારનો ભારે શોખીન હોવાથી એક વાર એ મુંજના વનમાં શિકારે ગયો. ત્યાં આગળ વધતાં મુંજના પુંજ નીચે એક તેજસ્વી બાળક જોઈને એ એની પર મોહી પડ્યો. અદ્ભુત એનું રૂપ હતું, હજી એ તાજો જ જન્મ્યો હોય, એવું લાગતું હતું. રાજા એ બાળકને ઉઠાવીને છાતી સરસો ચાંપીને બોલ્યા : શૃંગારસુંદરીના પુત્ર તરીકે તને જાહેર કરીને એનું વાંઝિયામહેણું હવે હું જરૂર ટાળીશ.
સિંહભટ મહેલે આવ્યો. નવજાત બાળકને શૃંગારસુંદરીના હાથમાં સોંપતાં એણે કહ્યું : વનદેવની આ ભેટ છે. આને તારા પુત્ર તરીકે જાહેર કરીને હું તારું વાંઝિયામહેણું મિટાવવા માંગું છું. શૃંગારસુંદરી ખુશ ખુશ થઈ. એ જ દિવસે રાજા તરફથી જાહેરાત થઈ કે, પટરાણી
જ
મંત્રીશ્વર વિમલ
૧૨૩