________________
વિજિગીષાની સામે વિદ્વત્તાનો વિજય
૧૩
CU
અવંતિપતિ ભોજની રાજસભા એ કાળમાં વિદ્વાનોની એક મંડળી ગણાતી. રાજા ભોજની વિદ્વત્તા વખાણવી કે વીરતા વખાણવી, એ મૂંઝવી નાખે, એવો સવાલ હતો. એથી એમની વિદ્વત્તા અને વીરતા
આ બંનેને અજોડ તરીકે ભલભલા શત્રુ રાજાઓ પણ બિરદાવતા. એથી એમની વિદ્વત્ સભાને જીતવામાં ત્યારે ઈડરિયો ગઢ જીતવા કરતાંય વધુ વિક્રમની અપેક્ષા રહેતી.
માલવ પ્રદેશનું ત્યારનું વિખ્યાત નામ ‘અવંતિ’ હતું. બાણું લાખ ગામોના દેશ તરીકે પ્રસિદ્ધ આ