________________
સૂરાચાર્યજીને કહ્યું કે, ભીમદેવનું તેડું આવ્યું છે. મને વિશ્વાસ છે કે, તમે ફત્તેહ મેળવીને જ આવશો.
નગરશેઠે સામાન્ય પરિસ્થિતિનો ખ્યાલ આપીને પછી કહ્યું કે, મહારાજ ! હવે આ વાયુદ્ધમાં વિજયી બનીને જૈનશાસનનો પણ જયજયકાર ગજવવાનો આ અવસર છે અને એથી અમારા સૌની નજર આપની પર ઠરી છે.
શ્રી સૂરાચાર્યજી તો આશુ-કવિ તરીકે પ્રસિદ્ધ હતા. એથી થોડીઘણી પરિસ્થિતિનો આ રીતે ખ્યાલ ન મળ્યો હોત, તોય ભોજના માથામાં વાગે, એવો પ્રતિ-શ્લોક રચી દેવા એઓ સમર્થ હતા, પછી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયા બાદની એમની રચનામાં કોઈ ખામી હોય જ શાની ?
ભીમદેવની મંત્રણાસભાને ઝાઝી પ્રતીક્ષા ન કરવી પડી, કયા વિદ્વાનનું આગમન થશે, એની વિચારણા હજી ચાલી જ રહી હતી, ત્યાં તો મેઘ જેવા ગંભીર ધ્વનિથી “ધર્મલાભનો ઘોષ ગજવતા શ્રી સૂરાચાર્યજીએ એ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. એમનાં દર્શને ભીમદેવ વધુ હર્ષિત બનીને બોલી ઊઠ્યા : અરે ! આ તો મારા ઉપકારી અને સંસારી સંબંધે સગા પણ છે. મેં પહેલેથી જ આમને યાદ કર્યા હોત, તો તો આ પ્રશ્ન ક્યારનોય ઊકલી ગયો હોત !
ભીમદેવે નિદેશેલા સુવર્ણના સિંહાસન પર બેઠક લેતાં શ્રી સૂરાચાર્યજીના હાથમાં લખોટો આપતાં દંડનાયક વિમલે સવિનય કહ્યું : લમણામાં તીરના વેગે વાગે, એવા આનો સણસણતો જવાબ આપ જ આપી શકશો, એવો અમારો સૌનો વિશ્વાસ છે.
શ્રી સૂરાચાર્યજીએ લખોટો વાંચીને હસતાં હસતાં કહ્યું કે, જાતને સિંહ માની લેવાથી સિંહ જેવું સામર્થ્ય આવી જતું હોત, તો જોઈતું હતું શું? તેમજ બીજાને હરણ કહી દેવાથી બીજાની સિંહ-શક્તિ ગાયબ થઈ જતી હોત, તો આજે માલવાની ગુફાઓ સિંહોની ગર્જનાઓથી જ ગાજતી હોત ! ભીમદેવ ! ભોજરાજાને પાઠવવાનો સંદેશ લખી લો કે
૧૨૦ ૬ આબુ તીર્થોદ્ધારક