________________
દંડનાયક વિમલે વળતી જ પળે કહ્યું : પાટણના પંડિતો તેમજ વીરરસના કૂવા અંગે આપે જે પ્રશ્નો કર્યા, એનો જવાબ તો દામોદર મહેતા જેવા વર્ષોના અનુભવી જ આપી શકે. બાકી હું તો એટલો જવાબ છાતી ઠોકીને આપવા સમર્થ છું કે, પાટણમાં ભલે કદાચ વિદ્વાનો અને વીરરસનો દુકાળ પડ્યો હોય, પણ પાટણના જૈન ઉપાશ્રયોમાં વિદ્વાનો અને વીરરસ : આ બંનેનો જરાય દુકાળ નથી. વનરાજ ચાવડા જેવા રાજવીને આશ્રય આપીને સંસ્કાર-સમૃદ્ધ ગુર્જર રાષ્ટ્રની સ્વપ્નસૃષ્ટિ સેવનારા શ્રી શીલગુણસૂરિજી જેવા જૈનાચાર્યોની એ પરંપરા પાટણમાં અક્ષુણ-પ્રવાહે હજી આજેય આગળ વધતી જ રહી છે ! માટે એ જૈનાચાર્યોની વિદ્વત્તાનો લાભ લઈએ તો કેમ?
નગરશેઠ શ્રીદત્ત, સેનાપતિ સંગ્રામસિંહ આદિ સૌએ હર્ષ સાથે દંડનાયકના આ સ્વરમાં પોતાનો સૂર પુરાવ્યો. વિમલની આ વાણીથી દામોદર મહેતા મનમાં બળી ઊઠ્યા હતા, પણ આની સામે એ કંઈ જ બોલી શકે એમ ન હતા, છતાં એમને ખાતરી હતી કે, પાટણના મોટા મોટા પંડિતો જ્યાં ભીમદેવને પ્રસન્ન બનાવી શક્યા નથી, ત્યાં જૈનઆચાર્યોનું તો શું ગજું કે, આ વાયુદ્ધમાં એઓ વિજેતા બની જાય !
ભીમદેવને દંડનાયકની આ વાત ગમી ગઈ. તરત જ નગરશેઠ આદિ આગેવાનો પાટણમાં બિરાજતા શ્રી ગોવિંદસૂરિજી પાસે જવા રવાના થયા. એમની નિશ્રામાં શ્રી દ્રોણાચાર્ય અને શ્રી સૂરાચાર્ય જેવી પ્રકાંડ પાંડિત્ય ધરાવતી શક્તિઓના હાથ હેઠળ બીજી આવી ઘણી ઘણી શક્તિઓ/વ્યક્તિઓ તૈયાર થઈ રહી હતી. ભીમદેવના સમયમાં “ચૈત્યવાસના પાયામાં પોલાણ પેઠું હતું ખરું. એથી પાટણમાં સાવ સ્થગિત થઈ ગયેલું સુવિહિત સાધુઓનું ગમનાગમન પણ પુનઃ ચાલુ થયું હતું, પરંતુ એ ચૈત્યવાસ' સાવ ઊખડીને નિર્મૂળ નહોતો બન્યો. શ્રી ગોવિંદસૂરિજી આદિ એ “ચૈત્યવાસની જ પેદાશ હતી. એથી નગરશેઠની વિનંતી સ્વીકારીને શ્રી ગોવિંદસૂરિજીએ તરત જ શ્રી મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૧૯