________________
ભોજનું આ કટાક્ષ-બાણ સૌના કાળજાને વીંધી ગયું અને સૌ સમસમતા બોલી ઊઠ્યા કે, ગુજરાતને હરણિયા જેવું સમજનારા એ ભોજને ભાન નથી કે, માત્ર સિંહનું ચામડું ઓઢી લેવાથી ગધેડો સિંહ બની શક્તો નથી. એ સિંહને આપણે મેદાનમાં તાણી લાવીને બતાવી આપવું જોઈએ કે, તે માની લીધેલા આ ગુજરાતી હરણિયા હાથી કરતાંય કેટલા બધા વધુ બળવાન છે ! ગુજરાત પાસે બળ-કળ ધરાવતા વણિકો ઉપરાંત વીરોની કેવી તાકાત છે, એ બતાવી આપવાનો અવસર પૂરો પાડતી આ ગાથાનો એવો સણસણતો જવાબ વાળવો જોઈએ કે, જે વાંચીને ભોજનું કાળજું કપાઈ જાય !
વિમલે કહ્યું : આ મંત્રણાસભા બોલાવવાનો હેતુ જ આ છે ! અત્યારે સૌથી પહેલું આપણું કર્તવ્ય અવંતિને જવાબ પાઠવવાનું છે.
મનમાં બાજી રચી રહેલા દામોદર મહેતાએ ધીમે રહીને વાત મૂકી : અવંતિ “વાણિયા' કહીને જેની મશ્કરી ઉડાવે છે, એવા વર્ગનું વલણ-ચલણ ગુજરાતમાં વધ્યું છે એનો જ આ અંજામ છે કે, ભોજ આમ નફ્ફટ થઈને આપણને હરણિયાથીય હલકા ચીતરી શકે છે. આજ સુધી આવો એકેય આક્ષેપ ગુજરાત સામે થયો નથી, આજે પહેલી જ વાર ગુજરાતની આબરૂ આ રીતે ઉઘાડે છોગ લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એની પાછળનાં કારણોનો મૂળગામી વિચાર નહિ કરવામાં આવે, તો ગુજરાતને બોડી-બામણીનું ખેતર સમજીને સૌ ફાવે એવા આક્ષેપ કરવામાં કચાશ નહિ રાખે.
દામોદર મહેતાના દિલનો ડંખ સમજી જતાં શાણા આગેવાનોને જરાય વાર ન લાગી. કેમ કે આ વાત કરતાં કરતાં મહેતા વારંવાર વાંકી નજરે વિમલને જોઈ લેવાનો પ્રયાસ કરતા હતા. ભીમદેવને થયું કે, મહેતા વાતને બગાડી મૂકશે. એથી એમણે કહ્યું કે, આપણે જે માટે ભેગા થયા છીએ, એ વાતની વિચારણામાં આ મુદ્દો સાધક નથી. બાકી વનરાજથી માંડીને આજ સુધી ગુર્જર રાષ્ટ્રને બધી રીતે સમૃદ્ધ બનાવવા વણિકના કળ-બળનું કેવું ચિરસ્મરણીય પ્રદાન રહ્યું છે, એ તો સૌ જાણે મંત્રીશ્વર વિમલ ) ૧૧૭.
માયા