________________
દુષ્કાળ પડતો જ નથી ! આ દૃષ્ટિએ આ ઘરની ‘કાયાપલટ’ અંગે અમે વિચારી રહ્યા હતા, ત્યાં આપનું સૂચન મળતાં અમે વધુ ઉપકૃત થયા છીએ. આપ નિશ્ચિંત રહેશો, નવું મકાન અમે એ રીતનું કરાવવા માંગીએ છીએ કે, જે આપણા વૈભવને અનુરૂપ હોય, જેમાં ભવ્ય ગૃહ-મંદિર હોય, સાધર્મિકોની સારી રીતે ભક્તિ થઈ શકે, એવી સગવડતા હોય, પાટણની પ્રતિષ્ઠા જે વધારે એવું હોય તેમજ સુરક્ષાના તમામ પાસાનો જેમાં ખ્યાલ રખાયો હોય, એવું નવું મકાન તૈયાર કરાવવાની અમારી ધારણા છે.
માતા વીરમતિએ જરૂરી સૂચનાઓ આપીને દીકરાઓની દૂરંદેશી અંગે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો અને થોડા જ દિવસોમાં શુભ મુહૂર્તો નવા મકાનનું કામકાજ ધમધોકાર શરૂ થઈ ગયું ! આ નિર્માણનો પ્રારંભ ગૃહમંદિરથી કરવામાં આવ્યો ! જેમની ઉપર રાજાના ચાર હાથ હોય અને પ્રજા જેમને પોતાના પ્રેમની પાલખીમાં પધરાવીને ફરવામાં ગૌરવ અનુભવતી હોય; તદુપરાંત અંબિકાદેવી, પદ્માવતીદેવી અને ચક્રેશ્વરીદેવીની કૃપાત્રયીનાં કિરણો જેમના માર્ગને અજવાળી રહ્યાં હોય, એવા મંત્રી-દંડનાયકના મહેલના આગળ વધતા નિર્માણમાં શી ખામી હોય ? દિવસો વીતવા માંડ્યા, એમ એ નિર્માણ- કાર્ય વેગ પકડતું ચાલ્યું.
એ મંત્રણા-ખંડમાં ભાગ લઈ રહેલા તમામેતમામના ચહેરા પર ગંભીરતાની રેખાઓ અંકિત થયેલી હતી. મહારાજ ભીમદેવની અધ્યક્ષતામાં પ્રારંભાયેલી એ મંત્રણામાં મંત્રીશ્વર નેઢ, દંડનાયક વિમલ, સેનાપતિ સંગ્રામસિંહ, દામોદર મહેતા, નગરશેઠ શ્રીદત્ત શ્રેષ્ઠી આદિ ઘણાખરા અગ્રગણ્યો જોડાયા હતા. વિચારણનો વિષય હતો : અવંતિપતિ ભોજ તરફથી આવેલી એક ગાથા !
આમ તો ત્યારે ગુર્જર અને માલવ વચ્ચે સંધિના કોલકરારનું પાલન થઈ રહ્યું હતું, એથી યુદ્ધનો પ્રશ્ન ઉપસ્થિત થવાની તો સંભાવના
મંત્રીશ્વર વિમલ
૧૧૫