________________
માતા વી૨મતિ જીવનસાગરનો ઠીક ઠીક પ્રવાસ ખેડી ચૂક્યાં હતાં. એથી એઓ દિવસનો ઘણોખરો સમય ધર્મારાધનામાં જ વ્યતીત કરતાં હતાં. પુત્રવધૂઓ તરીકે ઘરમાં આવેલ ધનશ્રી અને શ્રીદેવી. આ બે સ્ત્રી રત્નો દરેકેદરેક વાતમાં કુશળ હતાં, એથી ઘરની કોઈ ચિંતા વીરમતિને સતાવે એમ ન હતી. બે દીકરાઓને જે માન-સન્માન મળી રહ્યાં હતાં, એ જરૂર માતાનું હૃદય ધરાવતી વીરમતિને ગૌરવાન્વિત બનાવે એવાં હતાં, પણ એ ધર્મમાતાને મન તો આ માન-સન્માનની ઝાઝી કિંમત નહોતી. આ પદના માધ્યમે પોતાના બે દીકરાઓ જે ધર્મપ્રભાવના કરતા હતા, એ જ એમને મન મહત્ત્વની વાત હતી.
વીરમતિ એક નારી હોવા છતાં એમની નજરમાં દૂરંદેશી અને હૈયામાં હિંમતનો વારસો હતો. એથી પોતાના દીકરાઓને મળી રહેલા માન-સન્માનનાં બીજા પાસા રૂપે નેઢ અને વિમલ તરફ હંમેશાં ઈર્ષાગ્નિ ઠાલવતી રહેતી વ્યક્તિઓ-શક્તિઓથી પણ એ પૂરેપૂરાં પરિચિત હતાં. એથી દીકરાઓના જીવનની સુરક્ષાની દૃષ્ટિએ કોટ-કિલ્લા જેવાં જે ચણતર જરૂરી હતાં, એના માનસિક ચિત્રની રૂપરેખા નક્કી કરીને વીરમતિએ એક દહાડો દીકરાઓ સમક્ષ દિલ ખોલતાં કહ્યું :
“તમારા પિતાજી જ્યારે મંત્રી હતા, ત્યારના ને અત્યારના વાતાવરણ વચ્ચે જે વિરાટ અંતર છે, એથી તો તમે પરિચિત જ છો, એથી આ અંગે મારે કશું કહેવાનું રહેતું નથી. ત્યારે આ ઘરના માથે એકલા ‘મંત્રીપદ’ની સુરક્ષાની જવાબદારી હતી, આજે ‘મંત્રીપદ’ની સાથે ‘દંડનાયક'ના પદની સુરક્ષાની જવાબદારી પણ આ મકાનના માથે છે અને મને લાગે છે કે, આ જવાબદારી સુપેરે અદા કરવા આ મકાન, કાયાપલટની અપેક્ષા રાખે, એ વધુ પડતું ન ગણાય.'
નેઢ મંત્રી અને વિમલ દંડનાયક માતાના આટલા ઇશારા પરથી બધું સમજી ગયા. એમણે કહ્યું : આપની વાત સાચી છે. રીઝેલા રાજાઓ ક્યારે ખીજે, એ કહેવાય નહિ અને ઇર્ષાળુઓનો તો ક્યારેય
આબુ તીર્થોદ્ધારક
૧૧૪