________________
પ્રસ્થાનનું પગલું ઉઠાવ્યું. દંડનાયકના સંઘને વિદાય આપવા ઊમટેલી માનવમેદની અને એના દ્વારા થઈ રહેલો “જૈનશાસન'નો જયનાદ, પાટણમાં એક નવો જ ઉલ્લાસ રચવામાં નિમિત્ત બની જતાં, દામોદર મહેતાના દિલમાં ભારેલો ઈર્ષાગ્નિ ફરી ભડભડ કરતો ભડકી ઊઠ્યો ! એ વિચારી રહ્યા :
આ સંઘયાત્રાને બીજા બધા ભલે ધર્મયાત્રા તરીકે વખાણે, પણ મને તો લાગે છે કે, વિમલે આ સંઘયાત્રાના બહાને પોતાની કીર્તિયાત્રા આરંભી છે. ગામડે ગામડે આ રીતે જઈને વિમલ પોતાની કીર્તિનાં પડીકાં વહેંચશે અને “દંડનાયકના પદની પ્રતિષ્ઠાના પાયા ગામેગામની પ્રજાના મનમાં ઊંડા ઉતારશે ! હાય ! ભાગ્ય અને ભીમદેવ : આ બંને જ્યાં વિમલની ભેરમાં હોય, ત્યાં મારા જેવાની બાજીઓ જીતના પાદરે આવીને, પરાજયના પાતાળમાં પટકાઈ જાય, એમાં આશ્ચર્ય શું છે?
દામોદર મહેતાની ચિંતાના ચગડોળની ગતિમાં ભંગ પાડતો, સંઘયાત્રાનો હાલતો ચાલતો એ મહાસાગરીય ઘુઘવાટ મહેતાના મકાન પાસે આવતાં જ મહેતા નિરાશ હૈયે ઊભા થયા. બારીમાંથી ડોકિયું કરીને એમણે નીચી નજર કરી, તો જાણે માનવોનો મહેરામણે ચડેલો મહાસાગર દેખાયો, એના ઘુઘવાટને સાંભળવા મહેતાએ કાન સરવા કર્યા, તો જૈનશાસન અને દંડનાયક વિમલના જયજયકાર સિવાય
ત્યાં કશું જ સાંભળવા ન મળ્યું. ભીમદેવ સ્વયં જ્યાં દંડનાયકની વિદાય યાત્રામાં જોડાયા હોય, પછી કોણ ગેરહાજર રહેવામાં રાજી હોય !
દામોદર મહેતા થોડી વાર પછી પોતાની ખોવાઈ ગયેલી એ સ્વસ્થતાને પાછી મેળવવા હવાતિયાં મારતા વિચારી રહ્યા : આવા દબદબાભર્યા માન-સન્માન સાથે વિમલ જઈ રહ્યો છે, આ હકીકતનું બીજી બાજુનું પાસું મારામાં કંઈક આશાનો સંચાર કરે, એવું નથી શું? વિમલની ગેરહાજરી, એની વિપરીત વાતોને મહારાજના મનના મંત્રીશ્વર વિમલ 29 ૧૦૫