________________
પુણ્યાઈ જો કે આ સેવક પાસે છે, પણ કોઈ વિશિષ્ટ આરાધના કરવાની અને સવિશેષ કૃપાપાત્ર થવાના મારા મનોરથ છે, એ જો સફળ થાય, તો પછી મને લાગે છે કે, આબુ જ્યારે જૈનતીર્થ તરીકે વિખ્યાતિ પામી રહ્યું હોય, એ દિવસો દૂર નહિ હોય !
આટલી ભૂમિકા બાંધીને પછી દંડનાયક વિમલે મોસાળ-વાસ દરમિયાન બનેલો આકરી કટોકટી અને કસોટીનો પ્રસંગ પૂરેપૂરો કહી સંભળાવ્યો. જેના શ્રવણ પછી આવી સદાચાર નિષ્ઠા પર ઓવારી ઊઠતાં આચાર્યદેવે કહ્યું : જેના પુણ્યથી આ રીતે દૈવી શક્તિ સામેથી આકર્ષાતી હોય, એ વ્યક્તિ જો જિનશાસનની પ્રભાવનાના એકમાત્ર આશયથી વિધિપૂર્વક આરાધના કરે, તો શાસનની અધિષ્ઠાયક શક્તિઓ સહર્ષ સામે આવે, એ કોઈ અસંભવિત વાત નથી !
દંડનાયકના રોમરોમમાં આબુના દર્શનની પ્રતીક્ષાના દીવા જલી ઊઠ્યા હતા. એથી એમણે વિનંતી કરી : ભગવન્! આપશ્રી જો નિશ્રા આપવાની મારી વિનંતી સ્વીકારતા હો, તો જીરાપલ્લી આદિ તીર્થોનો યાત્રાસંઘ કાઢવાની મારી ભાવના છે. આ નિમિત્તે આબુની સ્પર્શનાય થઈ જાય અને હું જ્યાં એક ભાવના-સૃષ્ટિનું અવતરણ કરવાનું સ્વપ્ન સેવી રહ્યો છું, એ સ્વપ્ન-વિહાર વધુ વેગીલો બને ! - શ્રી ધર્મઘોષસૂરિજી માટે તો આ વિનંતી, ધર્મના ઘોષને વધુ વેગીલો અને વ્યાપક કરવાનો એક અણમૂલો અવસર હતો. એથી એમણે કહ્યું : ચીજ ભાવતી હોય અને એને વળી લેવાની સૂચના વૈદ આપે, તો પછી એનો સ્વીકાર કોણ ન કરે ?
વિનંતી સ્વીકારાઈ જતાં દંડનાયક આનંદી ઊઠ્યા. પાટણના પાડેપાડે, નીકળનારા આ સંઘની વાતો ચર્ચાવા માંડી. દંડનાયક અનેરા ઠાઠમાઠ સાથે યાત્રા કરવા-કરાવવાના મનોરથ સેવતા હતા અને મહારાજા ભીમદેવના પોતાના માથે ચાર હાથ હતા, પછી તડામાર તૈયારીઓ થવામાં શી કમીના રહે ! થોડા જ દિવસોમાં સંઘયાત્રાની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ અને પ્રયાણની શુભ ઘડી પણ આવતાં વિરાટ સંઘે
૧૦૪ %
આબુ તીર્થોદ્ધારક